ભરૂચ:સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 રીઢા ચોરની કરી ધરપકડ, ચોરીમાં 6 ગુનાનો ભેદ ઉકેલાયો

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે

New Update
  • ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મળી સફળતા

  • ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો

  • 2 રીઢા ચોરની પોલીસે કરી ધરપકડ

  • રૂ.4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • ચાવજ વિસ્તારની સોસા.માં કરી હતી ચોરી

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી લ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ઉમેશ દયાળભાઈ બગડીયા ચોરી કરેલ ઈલેક્ટ્રીક વાયરના બંડલો સાથે બાઈક લઈ ચાવજ ગામથી ભરૂચ ઝાડેશ્વર ચોકડી તરફ આવે છે જે બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કડક પૂછતાછ કરતા આરોપીએ ચોરીના અનેક ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી.આરોપીએ ચાવજ ખાતે આવેલ શ્રી વૃંદાવનવિલા સોસાયટીના બંધ મકાનની પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ઈલેક્ટ્રીક વાયરોના અલગ-અલગ સાઈઝનાં 20 બંડલની ચોરી કરી હતી.
આ ઉપરાંત અગાઉ ચાવજ ગામની અલગ-અલગ સોસાયટીમાંથી તેમજ અંકલેશ્વર GIDC તથા ભરૂચ શ્રવણ ચોકડી પાસેથી બાઇકની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપીઓ ઉમેશ દયાળભાઈ બગડીયા રહે. નવા કાસિયા ગામ ટેકરા ફળીયું, તા.અંકલેશ્વર અને  નવલ  ચંદુભાઈ ભાભોર  રહે. મંગલમૂર્તિ સોસાયટી પાસે આવેલ ઝૂપડપટ્ટીમાં તા.અકલેશ્વરની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.