ભરૂચ: કલકત્તા રેપ વીથ મર્ડર કેસમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, કેન્ડલ માર્ચ નિકળી

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું

New Update

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું

કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે.જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે ત્યારે  ભરૂચના ઇન્ડિયન મેડિકલ એશોશિએશન,ઇન્ડીયન ડેન્ટલ એશોશિએશન અને અનેક સંસ્થાઓ સાથે શહેરના પાંચબત્તી ખાતે એકત્ર થઈને સેક્રેટરી પ્રગતિ બારોટની આગેવાનીમાં પાંચબત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી  કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરાઈ હતી.
આ તરફ ભરૂચમાં વસતા બંગાળી સમાજ દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલકત્તામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બંગાળી સમાજ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વી વોન્ટ જસ્ટિસના પોસ્ટર સાથે મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શનમાં જોડાયા હતા
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.