ભરૂચ: ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યા ફી લીધા વગર કેસ લડશે !

ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે

New Update
  • ભરૂચના ઝઘડિયામાં બન્યો હતો બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ

  • મુખ્ય સરકારી વકીલનો માનવતાવાદી અભિગમ

  • ફી લીધા વગર કેસ લડવાની બતાવી તૈયારી

  • સરકારને લખ્યો પત્ર

ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે
ભરૂચના ઝઘડિયામાં બનેલ બાળકી સાથેના ચકચારી દુષ્કર્મમાં પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને રી કન્સ્ટ્રક્શન સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ હાલ પોલીસ દ્વારા સંયોગી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કેસમાં મુખ્ય સરકારી વકીલે ગુનાની કાયદાકીય કાર્યવાહી ફી લીધા વગર કરવાની તૈયારી બતાવી છે. અગાઉ ભરૂચ બાર એસોસીએશન દ્વારા એક નિવેદન જાહેર કરી એક પણ વકીલ દ્વારા કેસ હાથમાં નહિ લેવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.હવસખોરને કડકમાં કડક સજા થાય ઉપરાંત માનવતાના દ્રષ્ટિકોણને ઉજાગર કરવા મુખ્ય જીલ્લા સરકારી વકીલ પી.બી.પંડયા દ્વારા સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે. 
મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યાએ સરકારને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકામાં ૧૦ વર્ષની બાળકી સાથે ખુબ જ વિક્રુત રીતે દુષ્કર્મ કરેલ છે જે ખુબ જ ગંભીર બાબત છે. આ કેસમાં તેઓએ તા.૧૮.૧૨.૨૦૨૪ના રોજ રીમાન્ડની પ્રોસીડીંગમા  હીયરીંગ કર્યુ છે. સમગ્ર બનાવ ખરેખર અમાનવીય છે અને આવા કીસ્સાઓ માં જો આરોપીને ઝડપી ટ્રાયલ ચલાવીને કડક માં કડક સજા કરાવવામાં નહી આવે તો તેની સમાજ પર વિપરીત અસર પડી શકે તેમ છે જેથી  સેવાના અને રાષ્ટ્ર હીતમાં વિના મૂલ્યે આખી ટ્રાયલ ચલાવવા માંગતા હોવાની તેઓ દ્વારા જાણ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.