ભરૂચ: ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યા ફી લીધા વગર કેસ લડશે !

ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે

New Update
  • ભરૂચના ઝઘડિયામાં બન્યો હતો બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ

  • મુખ્ય સરકારી વકીલનો માનવતાવાદી અભિગમ

  • ફી લીધા વગર કેસ લડવાની બતાવી તૈયારી

  • સરકારને લખ્યો પત્ર

ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે થયેલ ચકચારી દુષ્કર્મના પ્રકરણમાં મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડયાએ સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે
ભરૂચના ઝઘડિયામાં બનેલ બાળકી સાથેના ચકચારી દુષ્કર્મમાં પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને રી કન્સ્ટ્રક્શન સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ હાલ પોલીસ દ્વારા સંયોગી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કેસમાં મુખ્ય સરકારી વકીલે ગુનાની કાયદાકીય કાર્યવાહી ફી લીધા વગર કરવાની તૈયારી બતાવી છે. અગાઉ ભરૂચ બાર એસોસીએશન દ્વારા એક નિવેદન જાહેર કરી એક પણ વકીલ દ્વારા કેસ હાથમાં નહિ લેવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.હવસખોરને કડકમાં કડક સજા થાય ઉપરાંત માનવતાના દ્રષ્ટિકોણને ઉજાગર કરવા મુખ્ય જીલ્લા સરકારી વકીલ પી.બી.પંડયા દ્વારા સરકારને પત્ર લખી કેસમાં ફી લીધા વગર આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા ચલાવવાની તૈયારી બતાવી છે. 
મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યાએ સરકારને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકામાં ૧૦ વર્ષની બાળકી સાથે ખુબ જ વિક્રુત રીતે દુષ્કર્મ કરેલ છે જે ખુબ જ ગંભીર બાબત છે. આ કેસમાં તેઓએ તા.૧૮.૧૨.૨૦૨૪ના રોજ રીમાન્ડની પ્રોસીડીંગમા  હીયરીંગ કર્યુ છે. સમગ્ર બનાવ ખરેખર અમાનવીય છે અને આવા કીસ્સાઓ માં જો આરોપીને ઝડપી ટ્રાયલ ચલાવીને કડક માં કડક સજા કરાવવામાં નહી આવે તો તેની સમાજ પર વિપરીત અસર પડી શકે તેમ છે જેથી  સેવાના અને રાષ્ટ્ર હીતમાં વિના મૂલ્યે આખી ટ્રાયલ ચલાવવા માંગતા હોવાની તેઓ દ્વારા જાણ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: વાગરાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂ.30 લાખના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ટોળકીના એક સાગરીતની ધરપકડ

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા

New Update
scsscs

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી ફૂલ રૂપિયા ૩૦.૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.

દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં દાહોદના ગરબાડા વિસ્તારના વિજય પલાસની સંડોવણી છે અને હાલ તે તેના ગામ આંબલી ખજુરીયા ખાતે છે જેથી પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપીની પુછપરછમાં ખુલાસો થયો હતો કે આરોપીની ટોળકીનો એક સાગરીત નિકેશ પલાસ અગાઉ વાગરા વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતો હોય તેણે ભરૂચ જિલ્લાનાબગામડાઓ જોયા હતા આથી આરોપી તેના અન્ય સાગરીતો સાથે બસમાં આવ્યો હતો અને ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.આ મામલામાં પોલીસે  નિકેશ જવસીંગ પલાસ શિવરાજ ધારકા પલાસ  અરવિંદ મડીયા મિનામાને વોન્ટેડ જાહેર કર્યા છે.