ભરૂચ: કલેકટર ગૌરાંગ મકવાણાએ સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન, જંબુસરમાં સરકારી કામગીરીનું કર્યું નિરીક્ષણ

પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ-સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું

New Update
  • ભરૂચ કલેકટર જંબુસરની મુલાકાતે

  • સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન

  • સરકારી કામગીરીનું પણ કર્યું નિરીક્ષણ

  • કાવી પોલીસ સ્ટેશનની પણ લીધી મુલાકાત

  • પી.એચ.સી.સેન્ટરની પણ મુલાકાત લીધી

ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી વિવિધ સરકારી કચેરીઓમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ પ્રથમવાર જંબુસરની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ-સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ પીએસસી સેન્ટરની મુલાકાત કરી હતી. કલેકટરે સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન નો લાભ લીધો હતો. અને મહાદેવને રુદ્રાભિષેક વિદ્યાનંદજી મહારાજની નિશ્રામાં વૈદિક મંત્રોચાર સાથે કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ વિવિધ સરકારી કચેરીઓમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.