ભરૂચ : કલેકટર ગૌરાંગ મકવાણાએ એ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી, પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા...

ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ મથકની કામગીરી તેમજ પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

New Update
  • જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની કલેક્ટર દ્વારા મુલાકાત

  • કલેકટર ગૌરાંગ મકવાણાએ લીધી સરકારી કચેરીની મુલાકાત

  • ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે પહોચ્યા જિલ્લા કલેક્ટર

  • પોલીસ દ્વારા કરવામાં આવતી તમામ કામગીરીથી વાકેફ થયા

  • પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો કરાયા

ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ મથકની કામગીરી તેમજ પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

ભરૂચ જિલ્લા કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ માહિતગાર થઈ રહ્યા છેત્યારે કલેકટર ગૌરાંગ મકવાણાએ ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તાર સ્થિત એ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતીજ્યાં એ’ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.યુ.ગડરિયા,  પીએસઆઇ કોમલ વ્યાસ દ્વારા જિલ્લા કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેકટરે પોલીસ મથકની કામગીરીપ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.