ભરૂચ: કલેકટર તુષાર સુમેરાએ પુરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત

ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું

New Update

ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું

ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી હાલ ભયજનક સપાટીએ વહી રહી છે ત્યારે નદીના પાણી આસપાસના ગામોમાં ભરાઈ ગયા છે. 15 થી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે અનેક લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે ભરૂચ કલેકટર તુષાર સુમારે આજે પૂરગ્રસ્તગામોની મુલાકાત લીધી હતી અને સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યાં જમવાનું સહિતનો પુરવઠો પહોંચાડવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા જોતા ડેપ્યુટી કલેકટર કક્ષાના 3 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.હાલ પણ ઢાઢર નદી ભયજનક સપાટી પર વહી રહી છે ત્યારે પરિસ્થિતિ સામાન્ય થતા હજુ 2 દિવસ જેટલો સમય લાગી શકે છે
Read the Next Article

ભરૂચ : માછી સમાજના આગેવાન કમલેશ મઢીવાલા 20 કાર્યકરો સાથે AAPમાં જોડાયા !

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.આવનારા સમયમાં રાજ્યમાં

New Update

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

આપમાં આગેવાનો જોડાયા

માછી સમાજના આગેવાને આપનો ખેસ પહેર્યો

આપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

વિવિધ પ્રશ્ને ચલાવી છે લડત

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મઢી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

આવનારા સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી યોજનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી રહી છે. ભરૂચમાં માછી સમાજના આગેવાન, સમાજ સેવક અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા કમલેશ મઢીવાલા તેમની 20થી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ તેમજ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. કમલેશ 

મઢીવાલા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો તેમજ માછી સમાજના વિવિધ પ્રશ્નો અને ઔદ્યોગિક વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા હતા ત્યારે તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આવનારા સમયમાં તેઓ રાજકીય પ્લેટફોર્મ પરથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.