ભરૂચ: પોલીસની પ્રશંસનીય કામગીરી, માર્ગ પર ધરાશાયી થયેલ વૃક્ષ જાતે જ હટાવ્યા !

ભરૂચમાં મીની વાવાઝોડા વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પડેલ વૃક્ષોને પોલીસે હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો

New Update
  • ભરૂચમાં ભારે પવન વચ્ચે વૃક્ષ ધરાશાયી

  • વૃક્ષ ધરાશયી થતા વાહનવ્યવહાર થયો બંધ

  • પોલીસની પ્રસંશનીય કામગીરી જોવા મળી

  • પોલીસકર્મીઓએ જાતે જ વૃક્ષ હટાવ્યા

  • પોલીસની કામગીરીની ઠેર ઠેર પ્રસંશા

ભરૂચમાં મીની વાવાઝોડા વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પડેલ વૃક્ષોને પોલીસે હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો

ભરૂચમાં મે માસમાં કાળઝાળ ગરમી વચ્ચે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સાથે વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવનના કારણે શહેરના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશઇ થઈ ગયા હતા જેને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી ત્યારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.પોલીસ કર્મીઓએ જાતે જ વૃક્ષને કાપી માર્ગ પરથી બાજુ પર હટાવ્યું હતું અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.આ કામગીરીમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. પોલીસકર્મીઓની આ કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી
તો બીજી તરફ ભરૂચ દહેજ રોડ પર કેસરોલ ગામ નજીક આવેલ ટોલ પ્લાઝાને પણ ભારે પવનમાં મોટુ નુકસાન પહોંચ્યું હતું.ભારે પવનના કારણે ટોલ પ્લાઝાનો શેડ ઉડી ધરાશાયી થઈ ગયો હતો.આ સમયે ટોલ પ્લાઝા પર અનેક વાહન ચાલકો હાજર હતા.જોકે સૌ કોઈનો બચાવ થયો હતો તો બીજી તરફ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.