ભરૂચ: આમોદની આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ !

ભરૂચના આમોદના આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update
  • આમોદની આછોદ જી.પં.બેઠકની પેટાચૂંટણી

  • પ્રચાર પ્રસાર પુરજોશમાં

  • કોંગ્રેસે ભાજપ પાર કર્યા આક્ષેપ

  • આચાર સંહિતા ભંગના આક્ષેપ

  • કોંગ્રેસ હારી રહી છે માટે આક્ષેપ કરે છે:મનસુખ વસાવા

Advertisment
ભરૂચના આમોદના આછોદ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે કાર્યવાહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીન પટેલ, યુથ કોંગ્રેસના કેતન મકવાણા તેમજ આમોદ તાલુકાના કેટલાક ગામોના સરપંચો સાથે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ  પ્રાંત અધિકારી,ચૂંટણી અધિકારી,મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચાર સહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનતની કોપી આપી છે.
આછોદ બેઠકનાં સભ્યનું બે વર્ષ પેહલા નિધન થતા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જેના કારણે આચારસંહિતા હોવા છતા તાલુકા પંચાયતમા ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનતની ઝેરોક્ષ કાઢીને આપી હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદા
Advertisment
આ સમગ્ર વિવાદ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવવાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી.મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ હારી રહી છે માટે આવા ખોટા આક્ષેપો કરે છે
Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment