ભરૂચ : ખાનગી વકીલની લાંચના ગુનામાં જામીન રદ કરતી કોર્ટ, અમદાવાદ ACBએ કરી હતી ધરપકડ

અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો

New Update

ભરૂચ જિલ્લા ન્યાયાલયનો ચકચારી બનાવ

કોર્ટમાં લાંચ લેવાના કેસમાં વકીલ ઝડપાયો

અમદાવાદ ACBએ કરી હતી ધરપકડ 

આરોપી વકિલના જામીન અરજીની થઇ સુનાવણી 

કોર્ટે આરોપી વકીલના જામીન કર્યા નામંજુર 

ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપાઇ ગયો હતો,આરોપી વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી,જે કોર્ટે નામંજૂર કરી હતી.

સરકારી વિભાગો બાદ હવે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચારએ ભરડો લીધો હોય તેવો બનાવ ભરૂચમાંથી સામે આવ્યો હતો. ચકચારી બનાવની વિગતો અનુસારભરૂચના એક વ્યક્તિ વિરુદ્ધ ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2022માં ગુનો નોંધાયો હતોઅને તેમના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ ગઈ હતી. આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે

 ત્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ખાનગી વકીલ સલીમ મન્સૂરીએ ફરિયાદી પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુંઅને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો,આ ગુનામાં આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા

જ્યારે આરોપી દ્વારા ભરૂચના ચોથા અધિક સ્તર ન્યાયધીશ હિતેશ એચ.ગાંધીની કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી,અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટે સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી વકીલના જમીન નામંજૂર કર્યા હતા.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.