ભરૂચ: 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને 10 વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ

છ વર્ષેય બાળકી સાથે વર્ષ 2017માં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. શાળામાં પી.ટી.શિક્ષક તરીકે ફરજ બજાવતા પૃથ્વીસિંહ અંબાલીયાએ પિરિયડ પૂર્ણ થયા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

New Update
Bharuch Rape Case Accused

ભરૂચની એક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષેય બાળકી સાથે વર્ષ 2017માં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. શાળામાં પી.ટી.શિક્ષક તરીકે ફરજ બજાવતા પૃથ્વીસિંહ અંબાલીયાએ પિરિયડ પૂર્ણ થયા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ અંગેની જાણ બાળકીએ તેની માતાને કરતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આખરે આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ અંગેનો કેસ ભરૂચના એડિશનલ એન્ડ ડી.સે.જજ ઇ.એમ.શેખની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી શિક્ષકને 10 વર્ષ કેદની સજા તેમજ ભોગ બનનારને  રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા તેમજ  રૂપિયા દોઢ લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો છે

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું