ભરૂચ: પુરઅસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ,આપ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

ભરૂચ જિલ્લાના લોકોને ખુબ મોટા પાયે નુકશાન થયું છે અને સરકાર દ્વારા આ નુકશાની પેટે તમામ પુર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી

New Update

ભરૂચ આપ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

તાત્કાલિક સર્વે કરાવવા રજુઆત

પુરઅસરગ્રસ્તોને સહાય ચૂકવવા માંગ

આપના આગેવાનો જોડાયા

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના પુર અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચુકવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમા જ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદ ને કારણે પુરની સ્થિતિ સર્જાય છે..
ત્યારે ઘણા ખેડૂત અને અલગ અલગ તાલુકાના ગામડાઓમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા જેના કારણે ભરૂચ જિલ્લાના લોકોને ખુબ મોટા પાયે નુકશાન થયું છે અને સરકાર દ્વારા આ નુકશાની પેટે તમામ પુર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું