ભરૂચ: જંબુસરના દહેગામના મસ્જિદ- મદ્રેસાના હોદ્દેદારો સામે ગુનો નોંધવાની માંગ, DYSPને કરાય લેખિત રજુઆત

ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

New Update
  • ભરૂચના જંબુસરના દહેગામે આવેલી છે મસ્જિદ

  • મસ્જિદના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • ગ્રામજનો દ્વારા કરાય રજુઆત

  • ડી.વાય.એસ.પી.ને રજુઆત કરવામાં આવી

  • પોલીસ ફરિયાદ નોંધવાની માંગ

ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના દેહગામ ગામે આવેલ મસ્જિદ બી 242 અને બી 224 તેમજ મદ્રેસાએ જીયા ઉલ ઇસ્લામ દહેગામ બી 840 અને મુસ્લામાન ગરાસિયા પંચ બી 217વગેરે ટ્રસ્ટોમાં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી ખોટા ઓડિટ રિપોર્ટ અને ઠરાવો બનાવી તેને ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થયાછે  અને ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂ કરી ટેક્સમાં ચોરી કરી હોવાના આક્ષેપ સાથે સેક્રેટરી ગુલામ રસુલ મહંમદ હસન અને પ્રમુખ મલેક ઈકબાલ અબ્દુલ્લાહ સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.ગામના આગેવાન મલેક ઇશાકભાઈ હસન અમીર દુલા, મલેક રફીક દાઉદઅલી તથા મલેક સાદીક રાજા ઇબ્રાહીમ દ્વારા ડીવાયએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.