ભરૂચ: જંબુસરના દહેગામના મસ્જિદ- મદ્રેસાના હોદ્દેદારો સામે ગુનો નોંધવાની માંગ, DYSPને કરાય લેખિત રજુઆત

ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

New Update
  • ભરૂચના જંબુસરના દહેગામે આવેલી છે મસ્જિદ

  • મસ્જિદના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • ગ્રામજનો દ્વારા કરાય રજુઆત

  • ડી.વાય.એસ.પી.ને રજુઆત કરવામાં આવી

  • પોલીસ ફરિયાદ નોંધવાની માંગ

ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના દેહગામ ગામે આવેલ મસ્જિદ બી 242 અને બી 224 તેમજ મદ્રેસાએ જીયા ઉલ ઇસ્લામ દહેગામ બી 840 અને મુસ્લામાન ગરાસિયા પંચ બી 217વગેરે ટ્રસ્ટોમાં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી ખોટા ઓડિટ રિપોર્ટ અને ઠરાવો બનાવી તેને ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થયાછે  અને ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂ કરી ટેક્સમાં ચોરી કરી હોવાના આક્ષેપ સાથે સેક્રેટરી ગુલામ રસુલ મહંમદ હસન અને પ્રમુખ મલેક ઈકબાલ અબ્દુલ્લાહ સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.ગામના આગેવાન મલેક ઇશાકભાઈ હસન અમીર દુલા, મલેક રફીક દાઉદઅલી તથા મલેક સાદીક રાજા ઇબ્રાહીમ દ્વારા ડીવાયએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી
Read the Next Article

ભરૂચ: વાગરાના સારણ ગામે મકાનમાંથી થયેલ રૂ.30 લાખના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કર ટોળકીના એક સાગરીતની ધરપકડ

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા

New Update
scsscs

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ૦૩ જુલાઈ ૨૦૨૫ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મકાનની બારી વાટે ઘરમાં પ્રવેશી ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી ફૂલ રૂપિયા ૩૦.૮૫,૦૦૦/- મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.

દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં દાહોદના ગરબાડા વિસ્તારના વિજય પલાસની સંડોવણી છે અને હાલ તે તેના ગામ આંબલી ખજુરીયા ખાતે છે જેથી પોલીસે દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપીની પુછપરછમાં ખુલાસો થયો હતો કે આરોપીની ટોળકીનો એક સાગરીત નિકેશ પલાસ અગાઉ વાગરા વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતો હોય તેણે ભરૂચ જિલ્લાનાબગામડાઓ જોયા હતા આથી આરોપી તેના અન્ય સાગરીતો સાથે બસમાં આવ્યો હતો અને ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.આ મામલામાં પોલીસે  નિકેશ જવસીંગ પલાસ શિવરાજ ધારકા પલાસ  અરવિંદ મડીયા મિનામાને વોન્ટેડ જાહેર કર્યા છે.