ભરૂચ: કતોપોર બજારમાં પે એન્ડ પાર્કની સુવિધા ચાલુ કરવાની માંગ, નગરપાલિકામાં કરાય રજુઆત

ભરૂચના કતોપોર બજાર એસોસીએશનના આગેવાનો સહીત વેપારીઓએ પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ,મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી 

New Update
  • ભરૂચના કતોપોર બજારના વેપારીઓએ કરી રજુઆત

  • નગરપાલિકામાં રજુઆત કરવામાં આવી

  • પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવા માંગ

  • ગ્રાહકો-વેપારીઓને પાર્કિંગની સમસ્યા

  • વિપક્ષના સભ્યો પણ જોડાયા

Advertisment
ભરૂચના કતોપોર બજાર એસોસીએશનના આગેવાનો સહીત વેપારીઓએ પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ,મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી 
છેલ્લા ઘણા સમયથી ભરૂચના કતોપોર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.તેવામાં ફાટા તળાવમાં પાલિકા દ્વારા જૂની ફાયર બ્રિગેડ ખાતે ફેન્સીંગ બનાવી છે.જે સ્થળે હંગામી ધોરણે પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કતોપોર બજાર એસોસીએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ,વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના વેપારીઓએ પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલને રજૂઆત કરી હતી અને વહેલી તકે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી હતી.વેપારીઓની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ આશ્વાસન આપી વહેલી તકે વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી હતી.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment