ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

ભરૂચમાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત સર્જાતા કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

New Update
  • ઉદ્યોગોમાં સર્જાતા અકસ્માતનો મામલો

  • જિલ્લા કોંગ્રેસે કરી યોગ્ય કાર્યવાહીની માંગ

  • અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

  • તંત્રની ઢીલી નીતિ સામે કોંગ્રેસે કર્યો આક્ષેપ

Advertisment

ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત સર્જાતા કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક ઉત્પાદનોથી ધમધમતી ઉદ્યોગો નગરીમાં સર્જાતા અકસ્માતમાં નિર્દોષ કામદારો મોતને ભેટતા હોય છે,ત્યારે અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે.અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.જેમાં કોંગ્રેસ સમિતિએ ગંભીર અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં માટે માંગ કરી હતી,જ્યારે ઉદ્યોગોમાં સર્જાતા અકસ્માત બાદ DISH દ્વારા પણ યોગ્ય તપાસ કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે.

 

બાઈટ:

Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment