ભરૂચ : ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરનાર વાહન ચાલકો સામે જિલ્લા ટ્રાફિક પોલીસની લાલ આંખ...

ભરૂચ જીલ્લામાં ટ્રાફિક નિયમોની એસીતેસી કરી પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકનાર વાહન ચાલકો સામે જીલ્લા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

New Update
a

ભરૂચ જીલ્લામાં ટ્રાફિક નિયમોની એસીતેસી કરી પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકનાર વાહન ચાલકો સામે જીલ્લા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર પેસેન્જર વાહનમાં જોખમી રીતે સામાન લોર્ડ કરી અને મુસાફરોને જોખમી રીતે બેસાડી જતા છકડો રીક્ષાના વિડીયો વાયરલ થયા હતા. તો બીજી તરફભરૂચમાં શાકભાજીના ટેમ્પોના પાછળના ભાગે પોતાનો જીવ જોખમમાં મુકી નીંદર માણતા યુવાનનો વિડીયો પણ સામે આવ્યો હતોત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે આવા અનેક લાપરવાહ વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ ટ્રાફિક પોલીસે કેટલાક વાહનચાલકોના વાહન ડીટેઈન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવતા અન્ય બેફામ વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories