ભરૂચ : રેલવે ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાંથી મેટલ પડતા વાહન ચાલકો ભયભીત બન્યા

અચાનક માલગાડી માંથી મેટલો નીચે પડવા લાગ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દેતા કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી......

New Update
  • રેલવે ગરનાળા પર સર્જાય ઘટના

  • માલગાડીમાંથી નીચે પડ્યા મેટલ

  • ઘટનાથી વાહન ચાલકો ભયભીત

  • કોઈ જાનહાની ન સર્જાતા રાહત

  • વાહન ચાલકોને પડી મુશ્કેલી

ભરૂચમાં આવેલા રેલવે ગરનાળા પરથી પસાર થતી માલગાડીની બેદરકારી સામે આવી છે. જેમાં માલગાડીમાં ભરેલા મેટલ ગરનાળા નીચે પડ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકો ઉભા રહી જતા કોઈને ઈજાઓ પહોંચી ન હતી.પરંતુ માર્ગ પર પડેલા મેટલના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.

ભરૂચના સ્ટેશન નજીક કસક ગરનાળુ આવેલું છે.તેમાં ઉપરથી રેલવે લાઈન પસાર થાય છે.જ્યારે નીચેથી વાહન ચાલકો પસાર થાય છે.આજે બપોરના 2:45 વાગ્યાના સુમારે કસક ગરનાળા પરથી ટ્રેક પર મેટલ ઠાલવતી માલગાડી પસાર થઈ રહી હતી.

તે સમયે અચાનક માલગાડી માંથી મેટલો નીચે પડવા લાગ્યા હતા.જોકે આ સમયે વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દેતા કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી.પરંતુ મેટલ માર્ગ પર પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને વાહનો પસાર કરવામાં મુશ્કેલી પડી હતી.

Read the Next Article

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડીયા-ઉમધરાના જવાનનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા

New Update
  • રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ

  • ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ

  • વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

  • જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય

  • દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતાત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છેત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતાજ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.