ભરૂચ: માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને સન્માનિત કરાયા

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તો સાથે જ સેફ્ટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા

New Update
  • ભરૂચમાં માર્ગ સલામતિ માસની ઉજવણી

  • ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • વાહનચાલકોને ચોકલેટ આપી સન્માનિત કરાયા

  • પાંચબત્તી ખાતે કાર્યક્રમ યોજાયો

  • અન્ય વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ

Advertisment
ભરૂચમાં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોનું ચોકલેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમમાં યોજાય રહ્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચબત્તી સર્કલ ખાતે એલ એન્ડ ટી કંપનીના સહયોગથી ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તો સાથે જ સેફ્ટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.બીજા વાહન ચાલકો હેલમેટ સહિતના ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જુના ને.હા.નં 8 પાસેની જર્જરિત જોખમી સાંઈ ગોલ્ડન ઇમારતને ઉતારી લેવા માટે પાલિકામાં રજુઆત કરતા નગર સેવક

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતી સાંઈ ગોલ્ડન નામની બહુમાળી ઇમારત જોખમી બની જતા રફીક ઝઘડિયાવાલાએ ઇમારત ઉતારી લેવા કરી માંગ

New Update
  • સાંઈ ગોલ્ડન જર્જરિત ઇમારતનો મામલો

  • પાલિકાના વોર્ડ નં.4ની હદમાં આવી છે ઇમારત

  • વોર્ડ 4ના સભ્ય દ્વારા કરાઈ પાલિકામાં રજૂઆત

  • રફીક ઝઘડિયાવાલાએ ઇમારત ઉતારી લેવા કરી માંગ

  • પાલિકાતંત્રએ અગાઉ વીજ કનેક્શન કર્યા હતા દૂર  

Advertisment

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની સાંઈ ગોલ્ડન ઇમારત અત્યંત જર્જરિત થઇ છે,આ જોખમી ઇમારતને ઉતારી લેવા માટે નગરપાલિકાના સભ્ય રફીક ઝઘડિયાવાલા દ્વારા પાલિકાતંત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતી સાંઈ ગોલ્ડન નામની બહુમાળી ઇમારત જોખમી બની ગઈ છે.જે અંગે નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સભ્ય રફીક ઝઘડિયાવાલા દ્વારા પાલિકાતંત્રમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.તેઓએ જણાવ્યું હતું કે આ ઇમારત અંગે અગાઉ પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી,ત્યારે નગરપાલિકા દ્વારા આ ઇમારતમાં રહેતા રહીશોના વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા,પરંતુ ત્યાર બાદ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

ત્યારે રફીક ઝઘડિયાવાલા દ્વારા જર્જરિત સાંઈ ગોલ્ડન જોખમી ઇમારતને ત્વરિત ઉતારી લેવા માટે નગરપાલિકા સહિત ભરૂચ જિલ્લા કલેકટર સુધી લેખિતમાં રજૂઆત કરી છે.

Advertisment