ભરૂચ: કોરોનાકાળમાં આર્થિક તંગી આવી તો આ મહિલા જાતે જ બની સ્કૂલવાન ચાલક, વિશ્વ મહિલા દિવસે નિહાળો વિશેષ અહેવાલ

કોરોનાકાળમાં આર્થિક તંગીના કારણે સ્કૂલવાન ચાલક પતિની મદદ કરવા મહિલા જાતે ડ્રાઇવિંગ શીખી હતી અને આજે પતિ પત્ની બન્ને સ્કૂલ વાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે.

New Update
  • આજે વિશ્વ મહિલા દિવસ

  • પુરુષો સાથે તાલથી તાલ મિલાવીને ચાલતી મહિલાઓને વંદન

  • ભરૂચમાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું

  • પરિવારની આર્થિક તંગી દૂર કરવા મહિલા બની સ્કૂલવેન ચાલક 

  • પરિવારને થાય છે આર્થિક રીતે મદદરૂપ

Advertisment
આજના વિશ્વ મહિલા દિવસે ભરૂચની એક મહિલાની અથાગ પરિશ્રમની કહાની તમને પણ પ્રેરણા પુરી પાડશે. કોરોનાકાળમાં આર્થિક તંગીના કારણે સ્કૂલવાન ચાલક પતિની મદદ કરવા મહિલા જાતે ડ્રાઇવિંગ શીખી હતી અને આજે પતિ પત્ની બન્ને સ્કૂલ વાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. જોઈએ આ વિશેષ અહેવાલ...
હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતા ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે. કોઈપણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવ્વલ નંબરે રહેતી હોય છે. આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી છે.ત્યારે ભરૂચના હલદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તેઓ છેલ્લા બે વર્ષથી સ્કૂલવાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે.
આ અંગે આરતીબહેને જણાવ્યું હતું કે તેઓના પતિ સ્કૂલવાન ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા પરંતુ કોરોના મહામારીમાં સ્કૂલો બંધ થતાં તેમના પરિવારને ભારે આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો જેથી પતિને મદદરૂપ થવા તેમની પાસેથી ફોરવીલ ગાડી શીખીને આજે સ્કૂલવાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહ્યા છે. આરતીબહેન ઘરકામ કરવા સાથે પતિને મદદરૂપ થવા ડ્રાઇવિંગ પણ કરે છે જેનાથી તેઓનું ગુજરાત સારી રીતે ચાલી શકે છે ત્યારે આવી કેટલીય મહિલાઓ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે આજના વિશ્વ નારી દિવસે આવી મહિલાઓને શત શત વંદન...
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment