ભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિના પગલે તંત્ર એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સંભવિત પુરની શક્યતા નથી પરંતુ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

New Update

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સંભવિત પુરની શક્યતા નથી પરંતુ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તર વધવાની સંભાવના છે.ભરૂચ નજીક નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા નર્મદાના કિનારે લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.હાલ પૂરતું પૂરનું સંકટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે પણ વર્ષ 2023 માં અચાનક આવેલા પાણીએ ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી.
ત્યારે પૂરનું જોખમ ન હોવા છતાં કાંઠાના લોકોને એલર્ટ કરી દેવાયા છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાના વાહનો લાઉડ સ્પીકર સાથે લોકોને સાવચેત કરી રહ્યા છે. પાલિકાના ફાયર ઓફિસર અનુસાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા અગમચેતી સાથે જરૂરી પગલાં ભરી લેવામાં આવ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.