ભરૂચ: હેલિકોપ્ટર લઇ પરણવા આવેલા વરરાજાને જોવા ગામ આખું ઉમટ્યૂ,જુઓ અનોખી જાનના દ્રશ્યો

ભરૂચના ઝઘડિયાના ખરચી ગામનો અજયકુમાર યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચના જ નિકોરા ગામ ખાતે પહોંચ્યો હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો

New Update
  • ભરૂચમાં લગ્નસરાની સિઝન

  • ખરચી ગામેથી નિકળી અનોખી જાન

  • વરરાજા હેલિકોપ્ટર લઈ પરણવા નિકળ્યા

  • પંથકમાં ચર્ચાનું કેન્દ્ર

  • હેલિકોપ્ટરમાં જાન નિકોરા ગામે પહોંચી

સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ભરૂચના ઝઘડિયાના ખરચી ગામનો એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચના જ નિકોરા ગામ પહોંચ્યો હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
ગુજરાત રાજ્યમાં ગામડાઓમાં હેલિકોપ્ટરમાં બેસી પરણવા આવવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જીવનના આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા નવયુગલો અવનવી રીતો અજમાવતા હોય છે. શહેરોમાં લક્ઝ્યુરિયસ ગાડીઓમાં બેસીને વરરાજા જાન લઇને આવતા હોય છે તો ક્યાંક ભાતીગળ બળદગાડામાં જાનૈયાઓ જોતરાય છે.
તો ક્યાંક જાન ટ્રેક્ટર કે ટ્રોલીમાં અથવા તો JCB મશીનમાં વરરાજા નીકળ્યા હોવાના વીડિયો સામે આવ્યા છે ત્યારે ભરૂચના ઝઘડિયાના ખરચી ગામના સુખદેવ વસાવાના પુત્ર અજયકુમારના ગતરોજ થયેલા લગ્નમાં ખરચી આખું ગામ હિલોળે ચઢ્યું હતું જેનું કારણ હતું કે,અજયકુમાર પોતાના પરિવાર સાથે ભરૂચ તાલુકાના એક નાનકડા નિકોરા ગામના રામજી ત્રિભોવનભાઈ વસાવાની સુપુત્રી વૈશાલી કુમારી સાથે લગ્ન કરવા હેલિકોપ્ટરથી જાન લઈને આવતાં હેલિકોપ્ટરને જોવા લોકોના ટોળા ઉમટ્યાં હતાં.
અજયકુમાર લગ્ન કરીને વૈશાલીને હેલિકોપ્ટરમાં જ પોતાના ઘરે લઈ ગયો હતો. જોકે અહીંયા કોઈ પણ ઘટના ન બને તે માટે ફાયર અને એમ્બ્યુલન્સ સહિતના  બંદોબસ્ત સાથે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યા હતા.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment