ભરૂચ: વાગરાને ભેરસમ પંથકના ખેતરો પાણીથી તળાવ બન્યા, ઉદ્યોગોના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ

ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે.

New Update

ભરૂચના વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા ઉત્પન્ન થતાં ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજીત 200 એકરથી વધુ જમીનના પાક નેસ્તનાબૂદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 

ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે. ભેરસમ ગામની સીમમાં 200 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. એક તરફ કૂદરતે સર્જેલ તારાજી છે. તો બીજી તરફ માનવસર્જિત આફત બંને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે. 
વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તારમાંથી નીકળતી હતી પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્લોટની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી. આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપનીઓ તેમજ ફેકટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું. જેથી આ વરસાદી કાંસનું પુરાણ થઈ જતાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદભવી છે એ સહિતના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતોએ એકત્ર થઈ જીઆઈડીસી તેમજ કંપની ધારકો વિરૂદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે આ સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.