ભરૂચ: મકતમપુરમાં આવેલ 700 વર્ષ જૂની વણઝારી વાવનો અસ્તિત્વ સામે જંગ ! તંત્ર ક્યારે લેશે દરકાર?

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ 700 વર્ષ જૂની ઐતિહાસિક વાવ હવે જાણે તેના અસ્તિત્વ સામે જ જંગ લડી રહી છે. જાળવણીના અભાવે આ વાવમાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે

New Update
  • ભરૂચમાં ઐતિહાસિક ધરોહરોની અવગણના

  • મકતમપુર વિસ્તારમાં આવેલી છે 700 વર્ષ જૂની વાવ

  • વાવમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા

  • બાંધકામ પણ થયું જર્જરીત

  • સરકાર ઐતિહાસિક વાવનજ દરકાર લે એવી માંગ

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ 700 વર્ષ જૂની ઐતિહાસિક વાવ હવે જાણે તેના અસ્તિત્વ સામે જ જંગ લડી રહી છે. જાળવણીના અભાવે આ વાવમાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે તો તંત્રની કઠોર નીતિના કારણે તેનું બાંધકામ પણ જર્જરીત થઈ ગયું છે. જોઈએ  અહેવાલ

ઐતિહાસિક ભરૂચ જિલ્લામાં કેટલાય  ઐતિહાસિક સ્મારકો અને સ્થળો આવેલા છે.આવા ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે સરકારના પુરાતત્વ વિભાગ સહિત સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવાની હોય છે પરંતુ જિલ્લાના ઘણા ઐતિહાસિક સ્મારકો એવા છે કે જે જાળવણીના અભાવે હાલ જર્જરિત કે ગંદકીથી ખડબદતા હોય છે. વાત કરીએ ભરૂચ શહેરના મકતપુર વિસ્તારમાં આવેલ વણઝારી વાવની. આ વાવ એક ઐતિહાસિક ધરોહર છે, જેનું બાંધકામ 700 વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે.વિચરતી જાતિ વણઝારા સમાજ દ્વારા પાણીના સંચય માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ઇતિહાસના પાનામાં આ વાવનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પણ હાલની સ્થિતિમાં વાવમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સહેલાણીઓ તો દૂર કોઈ સ્થાનિક પણ ત્યાં જવાનું પસંદ નથી કરી રહ્યો. પરિણામે આ વાવ જાણે પોતાના જ અસ્તિત્વ સામે જંગ લડી રહી છે અને વિકાસ ઝંખી રહી છે.થોડા વર્ષો અગાઉ એટલે કે વર્ષ 2009માં આ વાવનું નવનિકરણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ આવી ફોટો સેશન કર્યું અને જતા રહ્યા પરંતુ ત્યાર પછી શું..? આટલા વર્ષોમાં કોઈ જ દેખભાળ ન થયા ઐતિહાસિક વાવની આજે આ હાલત થઈ છે.સરકાર હાલમાં તળાવો ઊંડા કરી જળ સંચય યોજના ચલાવી રહી છે ત્યારે પાણી સંચયના ઉત્તમ સ્ત્રોત એવી આ વાવની પણ જાળવણી થાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.