ભરૂચ: મકતમપુરમાં આવેલ 700 વર્ષ જૂની વણઝારી વાવનો અસ્તિત્વ સામે જંગ ! તંત્ર ક્યારે લેશે દરકાર?

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ 700 વર્ષ જૂની ઐતિહાસિક વાવ હવે જાણે તેના અસ્તિત્વ સામે જ જંગ લડી રહી છે. જાળવણીના અભાવે આ વાવમાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે

New Update
  • ભરૂચમાં ઐતિહાસિક ધરોહરોની અવગણના

  • મકતમપુર વિસ્તારમાં આવેલી છે 700 વર્ષ જૂની વાવ

  • વાવમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા

  • બાંધકામ પણ થયું જર્જરીત

  • સરકાર ઐતિહાસિક વાવનજ દરકાર લે એવી માંગ

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ 700 વર્ષ જૂની ઐતિહાસિક વાવ હવે જાણે તેના અસ્તિત્વ સામે જ જંગ લડી રહી છે. જાળવણીના અભાવે આ વાવમાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે તો તંત્રની કઠોર નીતિના કારણે તેનું બાંધકામ પણ જર્જરીત થઈ ગયું છે. જોઈએ  અહેવાલ

ઐતિહાસિક ભરૂચ જિલ્લામાં કેટલાય  ઐતિહાસિક સ્મારકો અને સ્થળો આવેલા છે.આવા ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે સરકારના પુરાતત્વ વિભાગ સહિત સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવાની હોય છે પરંતુ જિલ્લાના ઘણા ઐતિહાસિક સ્મારકો એવા છે કે જે જાળવણીના અભાવે હાલ જર્જરિત કે ગંદકીથી ખડબદતા હોય છે. વાત કરીએ ભરૂચ શહેરના મકતપુર વિસ્તારમાં આવેલ વણઝારી વાવની. આ વાવ એક ઐતિહાસિક ધરોહર છે, જેનું બાંધકામ 700 વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે.વિચરતી જાતિ વણઝારા સમાજ દ્વારા પાણીના સંચય માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ઇતિહાસના પાનામાં આ વાવનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પણ હાલની સ્થિતિમાં વાવમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સહેલાણીઓ તો દૂર કોઈ સ્થાનિક પણ ત્યાં જવાનું પસંદ નથી કરી રહ્યો. પરિણામે આ વાવ જાણે પોતાના જ અસ્તિત્વ સામે જંગ લડી રહી છે અને વિકાસ ઝંખી રહી છે.થોડા વર્ષો અગાઉ એટલે કે વર્ષ 2009માં આ વાવનું નવનિકરણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ આવી ફોટો સેશન કર્યું અને જતા રહ્યા પરંતુ ત્યાર પછી શું..? આટલા વર્ષોમાં કોઈ જ દેખભાળ ન થયા ઐતિહાસિક વાવની આજે આ હાલત થઈ છે.સરકાર હાલમાં તળાવો ઊંડા કરી જળ સંચય યોજના ચલાવી રહી છે ત્યારે પાણી સંચયના ઉત્તમ સ્ત્રોત એવી આ વાવની પણ જાળવણી થાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.