ભરૂચ: ABC સર્કલ નજીક આવેલ હોટલ રંગ લોર્ડ્સ ઇનમાં આગ

ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી નગર સેવા સદનના ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • ભરૂચ શહેરમાં આગનો બનાવ

  • હોટલ રંગ લોડર્સ ઇનમાં આગ ફાટી નિકળી

  • હોટલના બીજા માળે હોલમાં લાગી આગ

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેલાવ્યો

  • સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચના  એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી નગર સેવા સદનના ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

ભરૂચના એબીસી સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.હોટલના બીજા માળે આવેલ હોલમાં આગ લાગી હતી. જેના પગલે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા.જુના સોફાના કવર સહિતની સામગ્રી જે હોલમાં મૂકી હતી તે હોલમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેના પગલે ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.હોટલના સ્ટાફની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.જોકે  હોટલમાં આગ લાગતા અફરાતાફરીનો માહોલ જોવા મળ્યો હતો

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.