New Update
/connect-gujarat/media/media_files/2025/03/27/8Qo9qrzXExwUHN1L7mgq.jpg)
ભરૂચ જિલ્લામાં આગની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ મોડી સાંજના સમયે હાંસોટ તાલુકાના કંટિયાજાળ ગામમાં ઘાસ ભરેલ ટ્રક ચાલક નિઝામ ભાઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વીજ વાયર અડી જતા આગ ભભૂકી ઉઠી હતી.
જોકે ચાલકની સમય સુચકતાને પગલે માર્ગની બાજુમાં ટ્રક ઉતારી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.આગને પગલે દોડધામ મચી જવા પામી હતી.આગને ટ્રકમાં નુકશાન થવા પામ્યું હતુ.આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતની શ્વાસ લીધો હતો.
Latest Stories