ભરૂચ: રહાડપોર ગામમાં  શોપિંગ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી,પાંચ દુકાનો આવી આંગની ઝપેટમાં

ભરૂચના રહાડપોર ગામમાં આવેલ એક શોપિંગ સેન્ટરમાં આગનો બનાવ બન્યો હતો,જેમાં એક સાથે પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. 

author-image
By Connect Gujarat Desk
New Update
  • રહાડપોર ગામે શોપિંગ સેન્ટરમાં લાગી આગ

  • આગ લાગતા પાંચથી વધુ દુકાનોમાં આગ

  • આગ લાગવાનું કારણ હજુ અકબંધ

  • ચારથી વધુ ફાયર ટેન્ડોરની મદદથી આગને કાબુ લેવાય

  • આગથી વેપારીઓને થયું આર્થિક નુકસાન

ભરૂચના રહાડપોર ગામમાં આવેલ પ્લેટેણિયાં શોપિંગ સેન્ટરમાં આગનો બનાવ બન્યો હતો,જેમાં એક સાથે પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

ભરૂચના રહાડપોર ગામમાં આવેલ એક શોપિંગ સેન્ટરમાં આજરોજ વહેલી સવારમાં આગનો બનાવ બન્યો હતો,જેમાં પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી,ઘટના અંગેની જાણ વેપારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ફાયર બ્રિગેડને આગ અંગેની જાણ કરી હતી,આગનો કોલ મળતાની સાથે જ ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.અને આગને વધુ ફેલાતા અટકાવવા માટે ચારથી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી.જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ તપાસનો વિષય બન્યો હતો.પરંતુ કોઈ જાનહાની પહોંચી નહોતી,જોકે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું હતું. 

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.