ભરૂચ: આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામમાંથી જવા પામી હતી.મોડી રાત્રે લાગેલી આગને ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી.

New Update
  • ભરૂચના આમોદનો બનાવ

  • આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • દસ્તાવેજો અને કાગળ બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

Advertisment
ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામમાંથી જવા પામી હતી.મોડી રાત્રે લાગેલી આગને ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી.
ભરૂચ જિલ્લામાં ફરી એક વાર આગની ઘટના બની હતી.ભરૂચની આમોદ તાલુકા પંચાયત કચેરીની સામે આવેલ તાલુકા પંચાયતના જ રેકોર્ડ રૂમમાં મોડી રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં કચેરીના કાગળો અને દસ્તાવેજો બળીને ખામ થઈ ગયા હતા.આ અંગેની જાણ થતાની  સાથે જ જંબુસર નગર સેવા સદનના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર સેવા સદનની હદમાં આગ લાગી હતી આમ છતાં આમોદ નગરપાલિકાના ફાયર વિભાગ પાસે યોગ્ય સંસાધનો ન હોવાના કારણે જંબુસરથી ફાયર ફાયટર બોલાવવાની ફરજ પડી હતી.
Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment