ભરૂચ : અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં આગથી નાસભાગ મચી

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ નોબલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો,સાંજના સમયે અચાનક કોઈક કારણોસર સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી

New Update

સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ

નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ

ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા

ત્રણથી ચાર ગોડાઉનમાં આગ ફેલાય હોવાની શક્યતા

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ નોબલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો,સાંજના સમયે અચાનક કોઈક કારણોસર સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી,ભીષણ આગની ચપેટમાં ત્રણથી ચાર જેટલા સ્ક્રેપના ગોડાઉન આવી ગયા હતા,અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી નજરે પડ્યા હતા,ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવીને બેકાબૂ બનેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.