ભરૂચ:પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, બિસ્માર માર્ગોના સમારકામની કરાય માંગ

ખખડધજ રસ્તાઓના કારણે વિલંબ થાય છે જેના કારણે કેટલીક વખત દર્દીઓને સારવાર પહોંચાડવામાં વિલંબ થાય છે જેના પરિણામ કોઈક વખત માઠા પરિણામ પણ આવે છે.આ જ રીતે અંકલેશ્વર થી નેત્રંગને જોડતો રસ્તો પણ એકદમ ખખડધજ છે 

New Update
Mahesh Vasava wrote a letter to CM Bhupendra Patel
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યા અનુસાર ઝઘડીયા તાલુકાના ધારોલી, ભોજપુર, બાંડાબેડા, દમલાઈ, અમલઝર, આમોદ થઈ રાજપારડી ની જોડતા મુખ્ય રસ્તો સાથે જ નેત્રંગથી રાજપારડી ને જોડતો રસ્તો એકદમ ખખડધજ હાલતમાં છે.
જેના કારણે રોજબરોજ અપડાઉન કરતા એવા વિદ્યાર્થીઓ, કામદારો, તેમજ ઈમરજન્સી કેશો ડિલિવરી એકસીડન્ટ કે અન્ય પ્રકારની માંદગીઓમાં સમયસર ઇમરજન્સી સેવાઓમાં ખખડધજ રસ્તાઓના કારણે વિલંબ થાય છે જેના કારણે કેટલીક વખત દર્દીઓને સારવાર પહોંચાડવામાં વિલંબ થાય છે જેના પરિણામ કોઈક વખત માઠા પરિણામ પણ આવે છે.આ જ રીતે અંકલેશ્વર થી નેત્રંગને જોડતો રસ્તો પણ એકદમ ખખડધજ છે  આ રસ્તાઓને સમયસર બનાવડાવી લોકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
Latest Stories