ભરૂચ: રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે પુનાથી નિકળેલ ગ્રીન-બાઈક રેલીનું દુધધારા ડેરી ખાતે કરાયુ સ્વાગત

રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું

New Update
  • 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસની કરાશે ઉજવણી

  • ઉજવણીના ભાગરૂપે બાઈક રેલીનું આયોજન

  • પુનાથઇ બાઈક રેલી નિકળી

  • 12 રાઈડર્સ જોડાયા

  • દૂધધારા ડેરી ખાતે કરાયુ સ્વાગત

Advertisment
રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું
તારીખ 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પુનાથી નીકળી હતી જેમાં અમુલના જ 12 જેટલા કર્મચારીઓ જોડાયા છે. જેઓ આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ,એજીએમ પીયુષ પટેલ, એકાઉન્ટ હેડ જયપાલ કાપડિયા તેમજ ડેરીના કર્મચારીઓ જોડાયા હતા.કાર અને બાઇક રેલીમાં બજાર તેમજ મારુતિનાં વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ રેલી પૂણે, મુંબઈ, સુરત, ભરૂચ અને આણંદ થઈ દિલ્હી 25 નવેમ્બરે દિલ્હી પહોંચશે.દિલ્હીમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ ડેરીના કાર્યક્રમમાં આ રાઈડર્સ જોડાશે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment