ભરૂચ: રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે પુનાથી નિકળેલ ગ્રીન-બાઈક રેલીનું દુધધારા ડેરી ખાતે કરાયુ સ્વાગત

રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું

New Update
  • 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસની કરાશે ઉજવણી

  • ઉજવણીના ભાગરૂપે બાઈક રેલીનું આયોજન

  • પુનાથઇ બાઈક રેલી નિકળી

  • 12 રાઈડર્સ જોડાયા

  • દૂધધારા ડેરી ખાતે કરાયુ સ્વાગત

રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું
તારીખ 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પુનાથી નીકળી હતી જેમાં અમુલના જ 12 જેટલા કર્મચારીઓ જોડાયા છે. જેઓ આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ,એજીએમ પીયુષ પટેલ, એકાઉન્ટ હેડ જયપાલ કાપડિયા તેમજ ડેરીના કર્મચારીઓ જોડાયા હતા.કાર અને બાઇક રેલીમાં બજાર તેમજ મારુતિનાં વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ રેલી પૂણે, મુંબઈ, સુરત, ભરૂચ અને આણંદ થઈ દિલ્હી 25 નવેમ્બરે દિલ્હી પહોંચશે.દિલ્હીમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ ડેરીના કાર્યક્રમમાં આ રાઈડર્સ જોડાશે.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.