ભરૂચ: ગુજરાત ગુજરાત ગાર્ડિયન કંપનીમાં જર્મનીથી ઈમ્પોર્ટ કરાયેલ રૂ.1.23 કરોડના ચાંદીની ચોરીથી ચકચાર

ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ ૧.૨૭ કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

New Update
  • ભરૂચના કોંઢ નજીક આવેલી છે કંપની 

  • ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી ચોરી

  • રૂ.1.23 કરોડના ચાંદીની ચોરી

  • જર્મનીથી ઈમ્પોર્ટ કરાયુ હતું ચાંદી

  • વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ ૧.૨૭ કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર-વાલિયા વાલિયા માર્ગ ઉપર કોંઢ ગામ પાસે ગુજરાત ગાર્ડિયન કંપની આવેલ છે જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઈન રોડ થઇ ક્રીબની સાઈડ વોલની અક્રેલીક સીટ તોડી ક્રીબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રીબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધન વડે તોડી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મુકવામાં આવેલ સિલ્વર બ્રિકસ ચાંદીની ઈટ અને સિલ્વર એ.જી.પ્યોરીટી મળી ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદી મળી કુલ ૧.૨૭ કરોડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગેની જાણ પરચેઝ મેનેજર ગુરુપ્રભજોતસિંઘને થતા તેઓએ અન્ય અધિકારી સાથે ક્રીબ સ્ટોરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ-૧૨મી માર્ચના રોજ ૨:૫૫થી ૪ વાગ્યા દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા ઈસમો હાથમાં હેન્ડ ગ્લબ્સ સાથે મોઢે કાળા કપડા પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.ચોરી અંગે વાલિયા પોલીસે ૧૭મી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.જર્મનીથી ઈમ્પોર્ટ કરાયેલા 117 કિલોગ્રામ ચાંદીની ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે.કોટેડ ગ્લાસ બનાવવા કંપનીએ સિલ્વર ઈમ્પોર્ટ કર્યું હતું જેની તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે.
Read the Next Article

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખ્યો પત્ર, જર્જરીત બ્રિજોના નવીનીકરણની કરી માંગ

સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. 

New Update
mansukh vasava

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ જર્જરીત બ્રિજના નવીનીકરણની માંગ કરવામાં આવી છે. મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. 

Bridge Renovation

આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો 60 વર્ષ જુનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં છે. આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે આ તમામ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે.