ભરૂચ: હાંસોટ તાલુકા માહ્યાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ભરૂચના હાંસોટ તાલુકા માયાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચના હાંસોટમાં આયોજન

  • હાંસોટ માહ્યાવંશી યુવા મંચ દ્વારા આયોજન

  • તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

  • આગેવાનોએ આપી હાજરી

  • સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત

ભરૂચના હાંસોટ તાલુકા માયાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના હાંસોટ તાલુકાના માહ્યાવંશી યુવા મંચ દ્વારા ધો.10 અને ધો.12ના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય મેહમાન તરીકે સામાજિક કાર્યકર્તા યોગ સુરતી પધાર્યા હતા.આ  સમારોહમાં હાંસોટ તાલુકાના 12થી વધુ તેજસ્વી તારલાઓનું તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની મહેનત અને લગનને બિરદાવવાનો તેમજ તેમને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના અનેક અગ્રણીઓ, તજજ્ઞો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: વાલિયા ચાર રસ્તા પર 2 બાઈક સામ સામે ભટકાય, પત્નિનું મોત-પતિ સહિત 2 લોકોને ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

New Update
  • ભરૂચના વાલિયામાં સર્જાયો અકસ્માત

  • વાલિયા ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો

  • 2 બાઈક સામસામે ભટકાય

  • બાઈક સવાર પત્નીનું મોત

  • પતિ સહિત 2 લોકોને પહોંચી ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
સાગબારાના જાવલી ગામના અને હાલ ભરૂચના વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલા વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઈક  વતનમાં જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વાલિયા ગામના ચાર રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ભિલોડ ગામના રોશન રવજી વસાવાની બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે દંપતી સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શર્મિલાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રોશન વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.