ભરૂચ: આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર માંગને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર, DDOને પાઠવ્યું આવેદનપત્ર

ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બે દિવસથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે ત્યારે કર્મચારીઓએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ભરૂચમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ

  • પડતર માંગોને હડતાળ કર્મચારીઓ હડતાળ પર

  • કર્મચારીઓએ પાઠવ્યું આવેદનપત્ર

  • જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • વિવિધ માંગ સ્વીકારવા રજુઆત

Advertisment
ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બે દિવસથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે ત્યારે કર્મચારીઓએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું
રાજ્યના પંચાયત વિભાગના વર્ગ-3 આરોગ્ય કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ-પે સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા સોમવારથી ભરૂચ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. અંગે આજ રોજ કર્મચારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગનાં એમપીએચડબલ્યુ,એફએચડબલ્યુ, એમપીએચએસ અને એફએચએસ કેડરને ટેકનિકલ સંવર્ગમાં ગણી પગાર સુધારણા કરવાની તેમજ એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ માટેની ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment
Latest Stories