ભરૂચ: આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર માંગને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર, DDOને પાઠવ્યું આવેદનપત્ર

ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બે દિવસથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે ત્યારે કર્મચારીઓએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું

New Update
  • ભરૂચમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ

  • પડતર માંગોને હડતાળ કર્મચારીઓ હડતાળ પર

  • કર્મચારીઓએ પાઠવ્યું આવેદનપત્ર

  • જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • વિવિધ માંગ સ્વીકારવા રજુઆત

Advertisment
ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બે દિવસથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે ત્યારે કર્મચારીઓએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું
રાજ્યના પંચાયત વિભાગના વર્ગ-3 આરોગ્ય કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ-પે સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા સોમવારથી ભરૂચ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. અંગે આજ રોજ કર્મચારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગનાં એમપીએચડબલ્યુ,એફએચડબલ્યુ, એમપીએચએસ અને એફએચએસ કેડરને ટેકનિકલ સંવર્ગમાં ગણી પગાર સુધારણા કરવાની તેમજ એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ માટેની ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : બોઈદ્રાની સીમમાં ચાલતી ખાવડા-નવસારી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને અસરગ્રસ્ત ખેડૂતોએ બંધ કરાવી.!

અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.

New Update
  • બોઈદ્રાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી

  • બોઈદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ

  • વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી

  • અગાઉ વાંધા અરજીઓ રજૂ કરી હોવા છતાં કામગીરી યથાવત

  • વરતળ ન મળે ત્યાં સુધી કામ કરવા દેવામાં આવશે નહીં : ખેડૂત

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી હતી.

કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના ખેડૂતોએ પણ આ કામગીરીને બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી છે. અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાંખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં ખેડૂતો આંદોલનની રણનીતિ ઘડવા સીમ વિસ્તારમાં એકઠા થયા હતાજ્યાં પાવરગ્રીડ કોર્પોરેશન વળતર ચૂકવ્યા વગર કામગીરી કરી રહ્યું હોવાનો અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીંવળતર મળે નહીં ત્યાં સુધી કામગીરી અટકાવવાનો તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

Advertisment