ભરૂચ: હેલિકોપ્ટરમાં જાન કાઢવા બાબતે આદિવાસી સમાજ અંગે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી, કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી  આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.

New Update
  • ભરૂચમાં યોજાયા હતા અનોખા લગ્ન

  • આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન

  • સોશ્યલ મીડિયામાં કરાય અભદ્ર ટિપ્પણી

  • આદિવાસી સમાજમાં રોષ

  • પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચમાં હાલમાં જ  હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા ગયેલા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતાં.જે અંગે સોશ્યલ મીડિયામાં યુવાને અભદ્ર ટિપ્પણી કરતા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટિપ્પણી કરનાર ઈસમ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી  આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડીયા વાયરલ થયો હતો.જેને લઈને  સોશિયલ મીડિયામાં લાલાભાઇ નામના યુવક દ્વારા  આદિવાસી સમાજની યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવી સોશ્યલ મીડિયામાં ટીપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. હાથમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા સહિત સમાજના આગેવાનો જોડાયાએ હતા
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.