ભરૂચ: હેલિકોપ્ટરમાં જાન કાઢવા બાબતે આદિવાસી સમાજ અંગે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી, કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી  આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.

New Update
  • ભરૂચમાં યોજાયા હતા અનોખા લગ્ન

  • આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન

  • સોશ્યલ મીડિયામાં કરાય અભદ્ર ટિપ્પણી

  • આદિવાસી સમાજમાં રોષ

  • પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચમાં હાલમાં જ  હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા ગયેલા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતાં.જે અંગે સોશ્યલ મીડિયામાં યુવાને અભદ્ર ટિપ્પણી કરતા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટિપ્પણી કરનાર ઈસમ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી  આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડીયા વાયરલ થયો હતો.જેને લઈને  સોશિયલ મીડિયામાં લાલાભાઇ નામના યુવક દ્વારા  આદિવાસી સમાજની યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવી સોશ્યલ મીડિયામાં ટીપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. હાથમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા સહિત સમાજના આગેવાનો જોડાયાએ હતા
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.