ભરૂચ: હેલિકોપ્ટરમાં જાન કાઢવા બાબતે આદિવાસી સમાજ અંગે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી, કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી  આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.

New Update
  • ભરૂચમાં યોજાયા હતા અનોખા લગ્ન

  • આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન

  • સોશ્યલ મીડિયામાં કરાય અભદ્ર ટિપ્પણી

  • આદિવાસી સમાજમાં રોષ

  • પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ

Advertisment
ભરૂચમાં હાલમાં જ  હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા ગયેલા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતાં.જે અંગે સોશ્યલ મીડિયામાં યુવાને અભદ્ર ટિપ્પણી કરતા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટિપ્પણી કરનાર ઈસમ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી  આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડીયા વાયરલ થયો હતો.જેને લઈને  સોશિયલ મીડિયામાં લાલાભાઇ નામના યુવક દ્વારા  આદિવાસી સમાજની યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેકટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવી સોશ્યલ મીડિયામાં ટીપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. હાથમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા સહિત સમાજના આગેવાનો જોડાયાએ હતા
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment