ખાડા વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ બન્યો, સરકારી કચેરી નજીક જ આવો માર્ગ !

ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે.

author-image
By Connect Gujarat
New Update

વરસાદી વાતાવરણ વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લાના અનેક માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને ભરૂચ શહેરની જો વાત કરીએ તો ભરૂચ કલેકટર કચેરી નજીક આવેલો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ માર્ગ પરથી રોજિંદા  વાહન ચાલકો પસાર થાય છે. તદુપરાંત આ માર્ગ પરથી અનેક અધિકારીઓ અને પદ અધિકારીઓ પણ પસાર થાય છે.

તેમ છતા આ માર્ગનું સમારકામ કરવામાં આવતુ નથી.પરંતુ વરસાદના કારણે આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઢાલથી મહમદપુરા સુધીનો માર્ગ પણ અત્યંત જર્જરિત બન્યો છે. જેના કારણે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.