ભરૂચ: વાલિયાના ડહેલી ગામે જય આદિવાસી સેના દ્વારા જનજાગૃતિ પરેડ યોજાય, મોટી સંખ્યામાં સભ્યો જોડાયા

ભરૂચના વાલીયાના ડહેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે  પરેડ યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા

New Update
  • ભરૂચના વાલિયા પંથકમાં આયોજન

  • ડહેલી ગામે આયોજન કરાયું

  • આદિવાસી સેના દ્વારા આયોજન

  • જન જાગૃતિ પરેડ યોજાય

  • મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા

ભરૂચના વાલીયાના ડહેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે  પરેડ યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા
ભરૂચના વાલીયાના ડહેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે  પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ જય આદિવાસી સેનાના આદિવાસી સૈનિકોએ  ડહેલી ગામની શેરીએ-શેરીએ પરેડ યોજી હતી.આ કાર્યક્રમમાં જય આદિવાસી સેનાના પ્રમુખ  હાર્દિક મહેશભાઈ વસાવા હાજર રહ્યા હતા. ઉપરાંત સેના અધ્યક્ષ  મહેશ વસાવા દ્વારા ભારતીય બંધારણમાં આપવામાં આવેલા આદિવાસી હક અને અધિકારો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લગ્નવિધિ, મરણવિધિ સહિત દરેક સામાજિક વિધિ આદિવાસી સમાજે પોતાની પરંપરાગત રીત-રિવાજ મુજબ કરીને પોતાની આદિવાસી ઓળખ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી હતી. 
Latest Stories