ભરૂચ: ઝઘડિયા પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પેટલાદથી કરી ધરપકડ

ભરૂચના ઝઘડીયાની ગ્રીન રીવેરા સોસાયટીમાં બે માસ પૂર્વે પાંચ ઘરના તાળા તોડી કુલ રૂપીયા - ૫૬,૬૫૦/- ના મુદ્દામાલની ઘરફોડ થઇ હતી.

New Update
a

ભરૂચના ઝઘડીયાની ગ્રીન રીવેરા સોસાયટીમાં બે માસ પૂર્વે પાંચ ઘરના તાળા તોડી કુલ રૂપીયા - ૫૬,૬૫૦/- ના મુદ્દામાલની ઘરફોડ થઇ હતી.

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી પેટલાદ ખાતે હોવાનું જણાઇ આવતા પોલીસની એક ટીમ તાત્કાલીક પેટલાદ ખાતે રવાના કરવામાં આવી હતી જ્યાંથી આ ગુનામા સંડોવાયેલ આરોપી લલ્લુ ઉર્ફે લલીત પાંગળાભાઈ ગણાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ રિકવર કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
Read the Next Article

અંકલેશ્વર: સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગ્યા, તંત્રએ થીંગડા માર્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.

New Update
  • ટી બ્રિજ પર ખાડા પડવાની શરૂઆત

  • સુરવાડી ટી બ્રિજનો રસ્તો જર્જરીત હાલતમાં

  • બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા

  • વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત

  • તંત્ર દ્વારા થીંગડા માર્યા બાદ પણ કોઈ સુધારો નહીં

અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે,ત્યારે તંત્ર દ્વારા બ્રિજના માર્ગ પર થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી,પરંતુ પુનઃ ખાડામાં સળિયા દેખાવા લાગ્યા હતા.

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં જ ખાડા દેખાવા માંડ્યા હતા.જેના પગલે તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગડા મારવા પડી રહ્યા છે.4 મહિના પૂર્વે પણ માર્ચ માસમાં સળિયા દેખાવાના  અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટના થીંગડા મારી દેવામાં આવ્યા હતા.જે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે,અને આખે આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે.ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર સિમેન્ટનું લીપણ કરીને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી.જોકે આ સમારકામ વરસાદના જોર સામે વધુ ટક્યું નહોતું,અને પુનઃ બ્રિજના માર્ગ પર સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.

 

Latest Stories