ભરૂચ: કંથારીયા ગામે વકફની મિલકતના ગેરવહીવટ અંગે ફરિયાદ કરનાર પિતા-પુત્ર પર હુમલાનો આક્ષેપ

ભરૂચના કંથારીયા ગામ કમિટીના ગેર વહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર  પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે

New Update

ભરૂચના કંથારીયા ગામનો વિવાદ

વકફની મિલકતના ગેરવહીવટ અંગે ફરિયાદ

ફરિયાદ કરનાર પિતા પુત્ર પર હુમલાનો આક્ષેપ

જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી રજુઆત

હુમલાખોરો સામે કાર્યવાહીની માંગ

ભરૂચના કંથારીયા ગામ કમિટીના ગેર વહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર  પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે
ભરૂચ તાલુકાના કંથારીયા ગામના સુહેલ ગુલામ એહમદ પટેલે ભરૂચ જીલ્લા પોલીસ વડાની કચેરી  ખાતે લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર કંથારીયા ગામના મદ્રસા,મસ્જિદ જેવી ધાર્મિક વકફ સંસ્થામાં થતી ગંભીર પ્રકારની ગેરરીતીને ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગર સમક્ષ તપાસ માંગતા સંબંધિત વકફ બોર્ડ તરફથી પુરાવા રજુ કરવા નોટીસ પાઠવી સુનાવણીમાં હાજર રહેવા આદેશ આપતા ગુસ્સે ભરાયેલા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ જાનથી મારી નાંખવાની કોશિશ કરી સમગ્ર પ્રકરણને  અકસ્માતમાં ખપાવી દાબી દેવાનો સુનિયોજીત પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગત તારીખ-૧૬મી સપ્ટેમ્બરના રોજ સામજિક કામ માટે સુહેલ ગુલામ એહમદ પટેલ અને તેના પિતા ગુલામ એહમદ ઉંમરજી પટેલ મનુબરથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન  થામ રોડ ઉપર આવેલ ડમ્પીંગ સાઈટ પાસે નંબર પ્લેટ વિનાની ફોર વ્હીલ ગાડી વડે ટક્કર મારી મોતને ઘાટ ઉતારવા મસ્જિદ મદ્રેસાના ટ્રસ્ટીઓએ પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.