New Update
ભરૂચમાં યોજાયું સ્વચ્છતા અભિયાન
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ અને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન
મહાત્મા ગાંધીને સ્વચ્છતા અભિયાન થકી પાઠવી શ્રદ્ધાંજલિ
કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા
ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના હોદ્દેદારો સભ્યો પણ જોડાયા
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તારીખ ૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છ ભારત રૂપે સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપવા હેતુ ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે લક્ષ્મીનારાયણ દેવ કોલેજના સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ પણ હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા.
ભોલાવ ગામની નારાયણ કુંજ વિહાર સોસાયટી પર પડેલો કચરો તેમજ પ્લાસ્ટિકને એકત્ર કરી લોકોને માર્ગ પર કચરો નહિ ફેંકવા અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડો. નિધિ ચૌહાણ, નિશી દેસાઈ, જાબેર તસ્નીમ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમીષાબેન, ઉપસરપંચ યુવરાજસિંહ , તાલુકા પંચાયત સભ્ય યોગિતાબેન,પંચાયત સભ્ય બાબુભાઈ પ્રજાપતિ અને પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.