ભરૂચ: વિધાનસભા ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચ વિધાનસભા ભાજપ દ્વારા આયોજન

  • દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

  • રાજપુત્ર છાત્રાલય ખાતે આયોજન કરાયું

  • આગેવાનોએ દિવાળીની પાઠવી શુભેચ્છા

  • કાર્યકરો રહ્યા ઉપસ્થિત

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નુતનવર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ પોલીસનો સપાટો, જુના વાહનો લે વેચ કરનાર ગેરેજના 63 સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના દાખલ કરાયા

અસામાજીક તત્વો દ્વારા અસામાજીક પ્રવૃતિને અંજામ આપવા માટે જુના વાહનો જેમા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા સ્પેર પાર્ટોનો ઉપયોગ કરતા હોય છે.

New Update
MixCollage-15-Jun-2025-09-13-AM-2991

અસામાજીક તત્વો દ્વારા અસામાજીક પ્રવૃતિને અંજામ આપવા માટે જુના વાહનો જેમા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા સ્પેર પાર્ટોનો ઉપયોગ કરતા હોય છે.

ત્યારે ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર જુના વાહનો જેમા ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા સ્પેર પાર્ટી ખરીદનાર/વેચનાર કરતી દુકાનો/ગેરેજોનું ચેકીંગ હાથ ધરવા તા.૧૨/૦૬/૨૦૨૫ થી તા.૧૩/૦૬/૨૦૨૫ સુધી દિન-૨ માટે રાખવામાં આવેલ જે સ્પેશ્યલ ઝુંબેશ દરમ્યાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ કામગીરી કરતા જુના વાહનો લે-વેચ કરવા સબંધનું નિયત કરેલ  રજિસ્ટર નિભાવેલ ન હોય તેવા દુકાન અને ગેરજના માલિકો સામે જાહેરનામા ભંગના કુલ 63 કેસ દાખલ કરવામાં આવ્યા છે.જેમાં સૌથી વધુ SOG દ્વારા 12 અને દહેજ પોલીસ દ્વારા 10 કેસ કરવામાં આવ્યા છે.