ભરૂચ: વિધાનસભા ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચ વિધાનસભા ભાજપ દ્વારા આયોજન

  • દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

  • રાજપુત્ર છાત્રાલય ખાતે આયોજન કરાયું

  • આગેવાનોએ દિવાળીની પાઠવી શુભેચ્છા

  • કાર્યકરો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નુતનવર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment