ભરૂચ : પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડને નષ્ટ કરતા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાનું ચંદન ચોક ગણેશ ઉત્સવમાં LIVE ડેકોરેશન...

ભરૂચમાં  ગણેશોત્સવની ઉજવણી મધ્યાહને પહોંચી છે,ત્યારે શહેરના ચંદન ચોક ગણેશ મંડળ દ્વારા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાની સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.   

New Update

ભરૂચમાં  ગણેશોત્સવની ઉજવણી મધ્યાહને પહોંચી છે,ત્યારે શહેરના ચંદન ચોક ગણેશ મંડળ દ્વારા ભારતીય સૈન્યની શૌર્ય ગાથાની સજાવટ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.   

ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવમાં વિવિધ ગણેશ મંડળોના અવનવી થીમ સાથેનાં ડેકોરેશન આકર્ષણ જમાવી રહ્યા છે.જેમાં ચંદન ચોક ગણેશ મહોત્સવમાં ભારતીય સૈન્યની શૌર્ય ગાથાનું નિદર્શન કરવામાં આવ્યું છે.ચંદન ચોક ખાતે છેલ્લા 34 વર્ષથી ગણેશ મહોત્સવ ની ઉજવણી વિવિધ થીમ અને ડેકોરેશન સાથે કરવામાં આવે છે.જેનું ભરૂચના શ્રીજી ભક્તોમાં આકર્ષણ જોવા મળે છે.આ વર્ષે ચંદન ચોક ખાતે ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડનો સફાયો કર્યો હતો,તેનું લાઈવ ડેકોરેશન ગણેશ મહોત્સવમાં કરવામાં આવ્યું છે.ગણેશ ભક્તિ સાથે દેશ ભક્તિને ઉજાગર કરતા ચંદન ચોકના ગણેશ મહોત્સવનું ભક્તોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.