ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અધ્યાપકોનો લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરાયો

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચની જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજન

  • શિક્ષકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

  • લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરાયો

  • લીવરના રોગ જાણવા ટેસ્ટ ઘણો ઉપયોગી

  • સ્કૂલ અને કોલેજના મેનેજમેન્ટનો સરાહનીય પ્રયાસ

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાયડ્સના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં અધ્યાપકોના લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લામાં આ પ્રકારના ટેસ્ટ ઉપલબ્ધ નથી અને આ પ્રકારનો ટેસ્ટ કરાવવા વડોદરા સુરત જવું પડે છે તેમજ તેની મૂલ્ય પણ રૂ.3500થી 4000 હજાર  હોય છે ત્યારે લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટીઓ યોગેશ પારીક અને મેનેજમેન્ટના પ્રયાસથી આ કેમ્પ યોજાયો હતો જેનો અધ્યાપકોએ લાભ લીધો હતો.સ્પર્શ ક્લિનિકના ડો.ચેતન મોરથણા અને તેમની ટીમ દ્વારા આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ પ્રકારનો ટેસ્ટ લિવરનો સોજો, લીવરનું ઇન્ફેક્સન, લીવરના અન્ય રોગો અને લીવર ઇન્જરીની ટ્રીટમેન્ટ મોનિટર કરવા માટે ઉપયોગી છે. 
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.