ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અધ્યાપકોનો લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરાયો

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચની જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજન

  • શિક્ષકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

  • લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરાયો

  • લીવરના રોગ જાણવા ટેસ્ટ ઘણો ઉપયોગી

  • સ્કૂલ અને કોલેજના મેનેજમેન્ટનો સરાહનીય પ્રયાસ

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના અધ્યાપકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાયડ્સના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં અધ્યાપકોના લીવર ફાઈબ્રોસ્ક્રીનીંગ સ્કેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લામાં આ પ્રકારના ટેસ્ટ ઉપલબ્ધ નથી અને આ પ્રકારનો ટેસ્ટ કરાવવા વડોદરા સુરત જવું પડે છે તેમજ તેની મૂલ્ય પણ રૂ.3500થી 4000 હજાર  હોય છે ત્યારે લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટીઓ યોગેશ પારીક અને મેનેજમેન્ટના પ્રયાસથી આ કેમ્પ યોજાયો હતો જેનો અધ્યાપકોએ લાભ લીધો હતો.સ્પર્શ ક્લિનિકના ડો.ચેતન મોરથણા અને તેમની ટીમ દ્વારા આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ પ્રકારનો ટેસ્ટ લિવરનો સોજો, લીવરનું ઇન્ફેક્સન, લીવરના અન્ય રોગો અને લીવર ઇન્જરીની ટ્રીટમેન્ટ મોનિટર કરવા માટે ઉપયોગી છે. 
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.