ભરૂચ: ઝઘડિયાના હિંગોરીયા ગામના સ્થાનિક લોકોએ બિસ્માર માર્ગ મુદ્દે કર્યું રસ્તા રોકો આંદોલન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો,અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.

New Update
  • ઝઘડિયામાં સ્થાનિકોનું રસ્તા રોકો આંદોલન

  • બિસ્માર માર્ગને પગલે સ્થાનિકોમાં આક્રોશ

  • નેત્રંગથી રાજપારડીનો માર્ગ છે ખખડધજ

  • વાહનોની લાગી લાંબી કતાર

  • રસ્તાનું સમારકામ કરાવવા માટે કરાઈ માંગ 

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરીયા ગામના સ્થાનિકોમાં બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો,અને ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.

ભરૂચ જિલ્લામાં વરસાદની મોસમમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા,જોકે તંત્ર દ્વારા હજુ પણ ઘણા રસ્તાઓનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવી હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ઝઘડિયા તાલુકાના હિંગોરીયા નજીક નેત્રંગથી રાજપારડીને જોડતા બિસ્માર માર્ગના વિરોધમાં સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.અને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ માર્ગ પરથી પસાર થતા હાઇવા સહિતના નાના મોટા વાહનોની કતાર લાગી ગઈ હતી,અને સ્થાનિક લોકોએ રસ્તા વચ્ચે બેસીને રસ્તા રોકો આંદોલનને અંજામ આપ્યો હતો.આ અંગેની જાણ રાજપારડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને આંદોલન કરી રહેલા લોકોને સમજાવીને રસ્તો ખુલ્લો કરવા માટે જણાવ્યું હતું.જોકે રસ્તો રોકનાર સ્થાનિક લોકોએ જવાબદાર અધિકારીને સ્થળ પર બોલાવવાની જીદ્દ પકડી હતી.રસ્તા રોકો આંદોલનને પગલે અનેક વાહનોની કતાર લાગી ગઈ હતી.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા સહિત વધુ એક ST બસ ફાળવવા ગ્રામજનોની રજૂઆત...

ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...

New Update
  • ઝઘડિયાના હરીપુરા અને આસપાસના ગ્રામજનોને હાલાકી

  • હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી

  • બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને પણ બસની અગવડ

  • વધુ એક બસની ફાળવણી કરવાના આવે તેવી માંગ કરાય

  • જાગૃત ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે જાગૃત ગ્રામજનોએ સાંસદને મૌખિક રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ સવારે રાજપીપલાથી આવતી બસ મુસાફરોથી ભરેલી હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચઝઘડિયા અને રાજપારડી અભ્યાસ કરવા જવા માટે મુશ્કેલી પડે છે. જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કેરાજપીપલાથી ભરૂચ માટે બસ તો આવે છે. પણ બસમાં વધુ મુસાફરો હોવાથી સીટ ખાલી હોતી નથી. જેથી બસ સ્ટેન્ડ પર બસને ઉભી રાખવામાં આવતી નથી. જેના કારણે રોજ અપ-ડાઉન કરતા હરીપુરારાજપરાઉચ્છબ અને રૂપાણીયા ગામ મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેથી વધુ એક બસ શરૂ કરવા માટે તેમજ હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત કરવામાં આવી છે.