ભરૂચ: મહેશ વસાવાએ કહ્યું BJPએ વિકાસ નથી કર્યો માટે રાજીનામું આપ્યું, ભાજપ પ્રમુખે પણ આપી તીખી પ્રતિક્રિયા !

મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી.તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા તો સામે જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું

New Update
  • પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું રાજીનામુ

  • રાજીનામા મામલે મહેશ વસાવાનું નિવેદન

  • ભાજપે વિકાસ નથી કર્યો: મહેશ વસાવા

  • જિલ્લા ભાજપ પ્રમુખની પ્રીતિક્રિયા

  • તાજમહલ કરતા SOU જોવા વધુ લોકો જાય છે: પ્રકાશ મોદી

પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી.તેઓએ ભાજપ પર પ્રહાર કર્યા હતા તો સામે જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યું હતું
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવવાના પુત્ર મહેશ વસાવાએ લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો પરંતુ અચાનક જ ગતરોજ તેઓએ ભાજપમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે આજરોજ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ કર્યો નથી માટે તેઓએ રાજીનામું આપ્યું છે અને આગળના સમયમાં તેઓ લોકોના કામ કરતા રહેશે.
તો બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ મહેશ વસાવાના નિવેદન અંગે જણાવ્યું હતું કે ભાજપના રાજમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. તાજમહેલ નિહાળવા જેટલા લોકો નથી જતા એનાથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી  નિહાળવા જાય છે એ જ ભાજપનો વિકાસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું હોવાનું ચર્ચાય રહ્યું છે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ બાદ અન્ય હોદ્દાઓની  ફાળવણી માટે ડખો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: અનરાધાર વરસાદના પગલે કીમ નદી બે કાંઠે, હાંસોટના સાહોલ ગામ નજીક નદીના નીરનો ધસમસતો પ્રવાહ

ભરૂચ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે હાંસોટના સાહોલ ગામ નજીકથી વહેતી કીમ નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી.

New Update
  • ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ

  • ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો

  • કીમ નદીમાં નવા નીરની થઈ આવક

  • સાહોલ ગામ નજીક નદી બે કાંઠે

  • નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો

ભરૂચ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે હાંસોટના સાહોલ ગામ નજીકથી વહેતી કીમ નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી.
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાય રહ્યા છે. જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે  વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કીમ નદીના નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ તરફ કીમ નદીના પુલ નીચે બનાવાયેલ સ્મશાનનો શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજી તરફ બેસવા માટે મૂકવામાં આવેલ બાકડા પણ નદીના પાણીમાં જોવા મળ્યા હતા.નદી બે કાંઠે વહેતી થતા આસપાસ આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. હજુ પણ જો નદીનું જળસ્તર વધે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.