ભરૂચ: હાંસોટ પંથકમાંથી પસાર થતી કીમ નદી ઉફાન પર, મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા

ભરૂચના હાંસોટ તાલુકા લમાંથી પસાર થતી કિમ નદી ઉફાન પર જોવા મળતા વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા તો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો

New Update

ભરૂચના હાંસોટ તાલુકા લમાંથી પસાર થતી કિમ નદી ઉફાન પર જોવા મળતા વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા તો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો

ભરૂચના હાંસોટ પંથકમાં કીમ નદીના પાણીએ જાણે વિના વેર્યો છે.વાલીયા પંથકમાં વરસેલા 16 ઇંચ વરસાદના પગલે કીમ નદીનું પાણી હાંસોટ પંથક તરફ વળ્યુ હતું જેના કારણે આજે સવારથી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા જેના પગલે સીઝનમાં બીજી વખત મહત્વનો ગણી શકાય તેવો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. માર્ગ બંધ થતાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સાથે જ કીમ નદીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો હતો.કીમ નદીના વધેલા જળસ્તરના પગલે હાંસોટના પાંજરોલી અને આસારમાં ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો જેના પગલે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.કીમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું. જેમાં આસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાંથી 114 લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. કીમ નદીના જળ સ્તરમાં વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.