New Update
/connect-gujarat/media/media_files/2025/04/04/8y7R2wk6ZUPuoEsZFxpO.jpg)
ભરૂચના નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરમા ગઇ કાલે સાંજના ચારથી પાંચના સમય ગાળા દરમ્યાન મેઇન ગેટ તરફથી આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર ધરાવતો એક યુવક મંદિર પરિસરમા પ્રવેશ કરે છે અને પ્રથમ પરિસરમા બનાવેલ મઢુલીમા થોડી વાર માટે બેસીને પછી નિજ મંદિરમા પ્રવેશ કરે છે.
જયા દાન પેટી મુકવામા આવેલ છે ત્યા જઇને દાન પેટી ઉચકવાની કોશિશ કરે છે પરંતુ તેનાથી દાન પેટી આધીપાછી નહિ થતા મંદિરમા ભજનકિઁતન સતત ચાલુ રહે તે માટે એક મોબાઇલ ફોન જેની કિંમત આશરે દસ હજાર આસપાસ જે મુકવામા આવેલ છે.તેની ઉપર સતત ભજનકિઁતન ચાલુ જ રહે છે.તસ્કરને દાન પેટી ઉઠાવવાની ફાવટ નહિ આવતા મંદિરમા ભજનકિઁતનની ધુન ચાલતી હતી તે મોબાઇલ ફોન જ ઉઠાવીને ચાલતી પકડીને સીધો મેઇન ગેટની બહાર જતો મંદિર પરિસરમા મુકેલ સીસીટીવીના ફૂટેજમા કેદ થઇ ગયો છે.મંદિર વહીવટ કતાઁઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories