ભરૂચ: નેત્રંગના સ્વામિનારાયણ મંદિરમાંથી રૂ.10 હજારના મોબાઈલની ચોરી, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

ભરૂચના નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરમા ગઇ કાલે સાંજના ચારથી પાંચના સમય ગાળા દરમ્યાન મેઇન ગેટ તરફથી આશરે  ૨૦ થી ૨૫ વર્ષની

New Update
MixCollage-04-Apr-2025-10-11-AM-2112

ભરૂચના નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરમા ગઇ કાલે સાંજના ચારથી પાંચના સમય ગાળા દરમ્યાન મેઇન ગેટ તરફથી આશરે  ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર ધરાવતો એક યુવક મંદિર પરિસરમા પ્રવેશ કરે છે અને પ્રથમ પરિસરમા બનાવેલ મઢુલીમા થોડી વાર માટે બેસીને પછી નિજ મંદિરમા પ્રવેશ કરે છે.

Advertisment

જયા દાન પેટી મુકવામા આવેલ છે ત્યા જઇને દાન પેટી ઉચકવાની કોશિશ કરે છે પરંતુ તેનાથી દાન પેટી આધીપાછી નહિ થતા મંદિરમા  ભજનકિઁતન સતત ચાલુ રહે તે માટે એક મોબાઇલ ફોન જેની કિંમત આશરે દસ હજાર આસપાસ જે મુકવામા આવેલ છે.તેની ઉપર સતત ભજનકિઁતન ચાલુ જ રહે છે.તસ્કરને દાન પેટી ઉઠાવવાની ફાવટ નહિ આવતા મંદિરમા ભજનકિઁતનની ધુન ચાલતી હતી તે મોબાઇલ ફોન જ ઉઠાવીને ચાલતી પકડીને સીધો મેઇન ગેટની બહાર જતો મંદિર પરિસરમા મુકેલ સીસીટીવીના ફૂટેજમા કેદ થઇ ગયો છે.મંદિર વહીવટ કતાઁઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories