ભરૂચ: નેત્રંગના સ્વામિનારાયણ મંદિરમાંથી રૂ.10 હજારના મોબાઈલની ચોરી, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

ભરૂચના નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરમા ગઇ કાલે સાંજના ચારથી પાંચના સમય ગાળા દરમ્યાન મેઇન ગેટ તરફથી આશરે  ૨૦ થી ૨૫ વર્ષની

New Update
MixCollage-04-Apr-2025-10-11-AM-2112

ભરૂચના નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિરમા ગઇ કાલે સાંજના ચારથી પાંચના સમય ગાળા દરમ્યાન મેઇન ગેટ તરફથી આશરે  ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર ધરાવતો એક યુવક મંદિર પરિસરમા પ્રવેશ કરે છે અને પ્રથમ પરિસરમા બનાવેલ મઢુલીમા થોડી વાર માટે બેસીને પછી નિજ મંદિરમા પ્રવેશ કરે છે.

Advertisment W3.CSS

જયા દાન પેટી મુકવામા આવેલ છે ત્યા જઇને દાન પેટી ઉચકવાની કોશિશ કરે છે પરંતુ તેનાથી દાન પેટી આધીપાછી નહિ થતા મંદિરમા  ભજનકિઁતન સતત ચાલુ રહે તે માટે એક મોબાઇલ ફોન જેની કિંમત આશરે દસ હજાર આસપાસ જે મુકવામા આવેલ છે.તેની ઉપર સતત ભજનકિઁતન ચાલુ જ રહે છે.તસ્કરને દાન પેટી ઉઠાવવાની ફાવટ નહિ આવતા મંદિરમા ભજનકિઁતનની ધુન ચાલતી હતી તે મોબાઇલ ફોન જ ઉઠાવીને ચાલતી પકડીને સીધો મેઇન ગેટની બહાર જતો મંદિર પરિસરમા મુકેલ સીસીટીવીના ફૂટેજમા કેદ થઇ ગયો છે.મંદિર વહીવટ કતાઁઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલીયારી અને દહરી ગામ વચ્ચે આવેલ પડતર જમીનમાં લીમડાના વૃક્ષ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો

New Update
kavi

ભરૂચના જંબુસર તાલુકાના કલિયારી અને દહેરી ગામ વચ્ચે વૃક્ષ નીચેથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisment W3.CSS
ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલીયારી અને દહરી ગામ વચ્ચે આવેલ પડતર જમીનમાં લીમડાના વૃક્ષ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકનું નામ પ્રતાપ પુના રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસેમૃતદેહનો કબજો મેળવી તેને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.યુવાનનું મોત કઈ રીતે નીપજ્યું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.