ભરૂચ: દહેજની MRF કંપનીના 50થી વધુ કર્મચારીઓનો હંગામો, કાયમી કરવાની માંગ

ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.

New Update

ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.

ભરૂચના દહેજના રહિયાદ નજીક આવેલ એમ.આર.એફ કંપનીમાં નોકરી પર કાયમી નહી કરતા ૫૦થી વધુ ટ્રેની કામદારોએ કંપની ગેટ ઉપર હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો. તેઓની સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત કરી હતી તો બીજી તરફ કંપની સંચાલકોએ ટ્રેની કામદારોને નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ હેઠળ કામ કરવા જણાવ્યુ હતુ.જો કે ટ્રેની કામદારોએ તેમના પ્રસ્તાવને નકારી દીધો હતો.હાલ તો કામદારોએ કંપની ગેટ પર પોતાની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે.આ અંગે કામદારોનું કહેવું છે કે આઈટીઆઈ દરમિયાન કેમ્પસ ઇન્ટરવ્યુ વખતે કંપની સત્તાધીશોએ કાયમી નોકરી આપવાનું વચન આપ્યું હતું,પરંતુ હવે ટ્રેનિંગની સમયમર્યાદા પૂર્ણ થતા કંપની ટ્રેની કામદારોને કાયમી કરવાની ના કહે છે,જેનો અમે કામદારો વિરોધ નોંધાવી રહયા છે,અને કંપની આપેલુ કાયમી નોકરીના વચનના પુરાવા પણ તેમની પાસે હોવાનું તેઓએ જણાવી રહ્યા છે. 
Read the Next Article

અંકલેશ્વર: કોસમડીની સાંઈ વાટીકા સોસા.માં શ્વાનના ગલુડિયા પર કાર ચઢી જતા મોત નિપજ્યું, કાર ચાલક સામે ગુનો નોંધાયો

કોસમડી ગામની યોગ નગર સાંઈ વાટીકા સોસાયટીમાં શ્વાનના ગલુડિયાઓ પર ફોર વહીલર ચઢાવી મોતને ઘાટ ઉતારી દેતા કાર ચાલક વિરૂદ્ધ પશુ ક્રુરતાનો ગુનો નોંધાયો

New Update
Saivatika Society
અંકલેશ્વરના કોસમડી ગામની યોગ નગર સાંઈ વાટીકા સોસાયટીમાં શ્વાનના ગલુડિયાઓ પર ફોર વહીલર ચઢાવી મોતને ઘાટ ઉતારી દેતા કાર ચાલક વિરૂદ્ધ પશુ ક્રુરતાનો ગુનો નોંધાયો
અંકલેશ્વરના કોસમડી ગામની યોગ નગર સાંઈ વાટીકા સોસાયટીમાં રહેતા જય પ્રકાશ પારસનાથ યાદવ બિલ્ડરનો વ્યવસાય કરે છે.જેઓ ગત તારીખ-12મી જુનના રોજ કિમ ખાતેની સાઇટ પર ગયા હતા.તે દરમિયાન તેઓની પત્નીનો ફોન આવ્યો હતો અને તેઓએ પોતાની સોસાયટીમાં રહેતા વિજય પાટીલએ બંસી પાટીલની ફોર વહીલર ગાડી શ્વાનના ગલુડિયાઓ પર ચઢાવી દીધી છે અને કોઈ ડોક્ટરને મોકલો જેથી જય પ્રકાશ યાદવે સાર્થક ફાઉન્ડેશમાં સંપર્ક કર્યો હતો.
જે બાદ જીવદયા પ્રેમી સંસ્થાના સુરજસિંગએ હકીકત પૂછતાં જય પ્રકાશ યાદવએ તેઓના ઘરે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાની પત્ની સામે મંગાવ્યા હતા.જેમાં એક ગલુડિયાનું ફોર વહીલર ચાલકે સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.જ્યારે અન્યને ઇજાઓ પહોંચી હોવાનું માલુમ પડ્યું હતું.બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ગાડી ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે.