ભરૂચ: સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઝઘડિયાના હરીપુરા ગામ નજીક વનકવચનું લોકાર્પણ, 20 હજાર વૃક્ષનું કરાયુ વાવેતર

"વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચ વન વિભાગની અનોખી પહેલ

  • ઝઘડિયા તાલુકામાં વન  વિકસવાયું

  • 20 હજાર વૃક્ષનું કરવામાં આવ્યું વાવેતર

  • સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ

ભરૂચના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ નજીક સાંસદ મનસુખ વસાવાના હસ્તે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
ભરૂચના ઝઘડિયા તાલુકાના હરીપુરા ઉચ્છબ ગામ નજીક  સાંસદ મનસુખ વસાવાના હસ્તે "વન કવચ"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ "વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે. બાળકોના રમવા માટે સાધનો તથા સેલ્ફી પોઇન્ટ પણ મૂકવામાં આવ્યા છે.આ વન કવચ ગામના લોકો માટે પર્યાવરણની દ્રષ્ટિએ તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક નીવડશે.
વન કવચના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તથા અન્ય મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ અને વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તથા પેટા વન વિભાગ ભરૂચના મદદની સંરક્ષક વી.એમ. ચૌધરી અને એચ.આર. જાદવ, સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયાના આરએફઓ આર.એસ. રહેવર, હેમંત કુલકર્ણી સહિત વન વિભાગનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.