New Update
-
ભરૂચ વન વિભાગની અનોખી પહેલ
-
ઝઘડિયા તાલુકામાં વન વિકસવાયું
-
20 હજાર વૃક્ષનું કરવામાં આવ્યું વાવેતર
-
સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ
ભરૂચના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ નજીક સાંસદ મનસુખ વસાવાના હસ્તે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
ભરૂચના ઝઘડિયા તાલુકાના હરીપુરા ઉચ્છબ ગામ નજીક સાંસદ મનસુખ વસાવાના હસ્તે "વન કવચ"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ "વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે. બાળકોના રમવા માટે સાધનો તથા સેલ્ફી પોઇન્ટ પણ મૂકવામાં આવ્યા છે.આ વન કવચ ગામના લોકો માટે પર્યાવરણની દ્રષ્ટિએ તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક નીવડશે.
વન કવચના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તથા અન્ય મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ અને વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તથા પેટા વન વિભાગ ભરૂચના મદદની સંરક્ષક વી.એમ. ચૌધરી અને એચ.આર. જાદવ, સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયાના આરએફઓ આર.એસ. રહેવર, હેમંત કુલકર્ણી સહિત વન વિભાગનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.