ભરૂચ: ઝઘડિયા GIDCમાં લારી જિલ્લા દબાણ હટાવવા મુદ્દે MP મનસુખ વસાવાએ અટકાવી કાર્યવાહી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી,જોકે સાંસદ મનસુખ વસાવા આ અંગે તંત્રને રજૂઆત કરીને કાર્યવાહી અટકાવી દીધી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લારી ગલ્લાના દબાણો હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.અને આ અંગે દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવીને દબાણ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી,જોકે વિધવા અને જરૂરિયાત મહિલાઓ સામે રોજગારીનો પ્રશ્ન ઉદભવતા આ અંગેની જાણ સાંસદ મનસુખ વસાવાને કરવામાં આવતા તેઓ તાબડતોબ ઝઘડિયા જીઆઇડીસી ખાતે દોડી આવ્યા હતા,અને નોટીફાઈડ સહિતના તંત્રને દબાણ હટાવવાની કાર્યવાહી અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી.અને સાંસદની રજૂઆતને તંત્રે માન્ય રાખીને દબાણો હટાવોની કાર્યવાહીને મુલતવી રાખી હતી.જેના કારણે લારી અને ગલ્લા ધારકોએ સાંસદ મનસુખ વસાવા તેમજ સ્થાનિક આગેવાન દિલીપ વસાવા સહિતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટના સમયે સ્થાનિક આગેવાનો સરલાબેન વસાવા,દિલીપ વસાવા સહિતના આગેવાનો પણ દોડી આવ્યા હતા.જ્યારે સ્થાનિક આગેવાન સરલા વસાવાએ જીઆઇડીસીમાં કાર્યરત ઉદ્યોગો સામે પ્રદૂષણ મુદ્દે આક્ષેપ કર્યા હતા,અને રોજગારી પણ સ્થાનિકોને મળતી ન હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
Read the Next Article

ભરૂચ : લિંક રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સિક્યુરિટીની સજાગતાના પગલે તસ્કરો ફરાર...

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો

New Update
Sankatmochan Hanumanji temple

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતોત્યારે નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો ભયભીત થઈ ગયા હતાઅને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ રાખી દીધા હતા.

આ સાથે જ લાવેલા હથિયાર કુવાડીહથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મુકી નાસી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેલગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતીત્યારે હાલ પોલીસ દ્વારા પેટ્રોલીંગની કામગીરીમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.