ભરૂચ: આદિવાસીઓના ધર્મપરિવર્તન અંગેના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિવેદનને સાંસદ મનસુખ વસાવાએ આવકાર્યુ,જુઓ શું કહ્યું

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદિવાસીઓના ધર્મ પરિવર્તન અંગે આપેલા નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવકાર્યું હતું.

New Update
  • રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું નિવેદન

  • મોરારીબાપુની રામ કથામાં નિવેદન આપ્યું

  • આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે: હર્ષ સંઘવી

  • હર્ષ સંઘવીના નિવેદનને સાંસદ મનસુખ વસાવાએ આવકર્યુ

  • આદિવાસીઓના ભોળપણનો લાભ લેવામાં આવે છે: મનસુખ વસાવા

Advertisment W3.CSS
રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદિવાસીઓના ધર્મ પરિવર્તન અંગે આપેલા નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવકાર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આદિવાસીઓને પટાવી ફોસલાવી તેઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલા લેવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સમર્થન આપ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના ભોળપણનો લાભ લઈ કેટલાક વિધર્મી લોકો તેઓને ધર્મ પરિવર્તન કરાવે છે ત્યારે હર્ષ સંઘવીના નિવેદનને તેઓએ આવકાર્યું હતું

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.