ભરૂચ: આદિવાસીઓના ધર્મપરિવર્તન અંગેના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિવેદનને સાંસદ મનસુખ વસાવાએ આવકાર્યુ,જુઓ શું કહ્યું

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદિવાસીઓના ધર્મ પરિવર્તન અંગે આપેલા નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવકાર્યું હતું.

New Update
  • રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું નિવેદન

  • મોરારીબાપુની રામ કથામાં નિવેદન આપ્યું

  • આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે: હર્ષ સંઘવી

  • હર્ષ સંઘવીના નિવેદનને સાંસદ મનસુખ વસાવાએ આવકર્યુ

  • આદિવાસીઓના ભોળપણનો લાભ લેવામાં આવે છે: મનસુખ વસાવા

Advertisment
રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આદિવાસીઓના ધર્મ પરિવર્તન અંગે આપેલા નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવકાર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આદિવાસીઓને પટાવી ફોસલાવી તેઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલા લેવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સમર્થન આપ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના ભોળપણનો લાભ લઈ કેટલાક વિધર્મી લોકો તેઓને ધર્મ પરિવર્તન કરાવે છે ત્યારે હર્ષ સંઘવીના નિવેદનને તેઓએ આવકાર્યું હતું

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment