ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને પત્ર લખી ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને પોલીસ સહકાર આપે એવી માંગ કરી !

સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પત્ર લખ્યો છે. આ વખતે તેઓએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને પોલીસ સહકાર આપે એવી માંગ કરી !

author-image
By Connect Gujarat Desk
New Update
Mansukh Vasava Write Lettar To Ashvini Vaishnaw
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી ફાગવેલ,ડાકોર, મીનાવાડા અને પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને પોલીસ હેરાનગતિ ન કરે તે માટેની માંગ કરી છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પત્ર લખ્યો છે. આ વખતે તેઓએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી સહકાર આપવાની માંગણી કરી છે મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર.

સાંસદ મનસુખ વસાવાએ લખેલ પત્ર:

Latter

નર્મદા અને ભરૂચ જીલ્લાના ધર્મપ્રેમીઓ ફાગવેલ, ડાકોર, મીનાવાડા તથા પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોએ પુનમ તથા અન્ય મોટા પ્રસંગોએ ત્યાં દર્શન માટે ખુબ જ મોટી સંખ્યામાં સંઘના રૂપે ચાલતા જાય છે. કેટલાક ધર્મપ્રેમીઓ ગામમાંથી પોતાના જ વાહનમાં જાય છે અને પરત ફરે છે તથા કેટલાક ધર્મપ્રેમીઓ ટેમ્પો, પીકઅપ જેવા પોતાના ગામના વાહનોમાં અવર-જવર કરતા હોય છે. આમાના કેટલાક ધાર્મિક સ્થળોએ વાહનોમાં જતાં દર્શનાર્થીઓને પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ સ્ટાફ તથા આર.ટી.ઓ. દ્વારા રોકવામાં આવે છે અને દંડની વસુલાત કરવામાં આવે છે. 
આ બધા ભક્તો ગરીબ પરીવારના હોઇ છે, એટલે લકઝરી બસમાં જતા નથી તથા પોતાનું અથવા ગામમા જે વાહન હોઇ તેનો જ ઉપયોગ કરે છે. આમ, વડોદરા, પંચમહાલ, મહિસાગર તથા ખેડા જીલ્લામાં પોલીસ અધિકારીઓને આ બંન્ને જીલ્લાના ધર્મપ્રેમી ભાઈ–બહેનોને યોગ્ય સહકાર આપે તે મુજબ ઘટતું કરવાની માંગ કરવામાં આવી છે.