New Update
/connect-gujarat/media/media_files/2024/12/11/vPa1fyoJ18W7MczSFbvc.jpg)
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી ફાગવેલ,ડાકોર, મીનાવાડા અને પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોએ જતા શ્રદ્ધાળુઓને પોલીસ હેરાનગતિ ન કરે તે માટેની માંગ કરી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પત્ર લખ્યો છે. આ વખતે તેઓએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખી સહકાર આપવાની માંગણી કરી છે મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર.
સાંસદ મનસુખ વસાવાએ લખેલ પત્ર:
નર્મદા અને ભરૂચ જીલ્લાના ધર્મપ્રેમીઓ ફાગવેલ, ડાકોર, મીનાવાડા તથા પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોએ પુનમ તથા અન્ય મોટા પ્રસંગોએ ત્યાં દર્શન માટે ખુબ જ મોટી સંખ્યામાં સંઘના રૂપે ચાલતા જાય છે. કેટલાક ધર્મપ્રેમીઓ ગામમાંથી પોતાના જ વાહનમાં જાય છે અને પરત ફરે છે તથા કેટલાક ધર્મપ્રેમીઓ ટેમ્પો, પીકઅપ જેવા પોતાના ગામના વાહનોમાં અવર-જવર કરતા હોય છે. આમાના કેટલાક ધાર્મિક સ્થળોએ વાહનોમાં જતાં દર્શનાર્થીઓને પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ સ્ટાફ તથા આર.ટી.ઓ. દ્વારા રોકવામાં આવે છે અને દંડની વસુલાત કરવામાં આવે છે.
આ બધા ભક્તો ગરીબ પરીવારના હોઇ છે, એટલે લકઝરી બસમાં જતા નથી તથા પોતાનું અથવા ગામમા જે વાહન હોઇ તેનો જ ઉપયોગ કરે છે. આમ, વડોદરા, પંચમહાલ, મહિસાગર તથા ખેડા જીલ્લામાં પોલીસ અધિકારીઓને આ બંન્ને જીલ્લાના ધર્મપ્રેમી ભાઈ–બહેનોને યોગ્ય સહકાર આપે તે મુજબ ઘટતું કરવાની માંગ કરવામાં આવી છે.